Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલને વિસનગર કેસમાં પણ જામીન મળતાં પાટીદારોમાં આનંદની લાગણી, આજે જેલમાથી બહાર આવશે

Webdunia
મંગળવાર, 12 જુલાઈ 2016 (00:07 IST)
વિસનગર ખાતે એમએલએની ઓફિસમાં તોડફોડ કરવાના મામલે પાટીદાર નેતા ર્હાદિક પટેલ વિરુદ્ધ નોંધાયેલા ગુનાની સુનાવણી દરમિયાન આજે હાઈકોર્ટે તેના શરતી જામીન મંજુર કરતા પાટીદારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ ર્હાદિકને મળેલા જામીનને લઇ વિવિધ રાજકીય પ્રતિક્રિઆઓ સામે આવી છે જેમાં ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ વિજય રુપાણીએ કહ્યું છે કે, સરકારના ઉદાર વલણના કારણે ર્હાદિકને આ જામીન મળ્‍યા છે. પાટીદારોની મોટાભાગની માંગણીઓ સરકારે સંતોષી છે તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે, ર્હાદિકને જામીન મળ્‍યા તે આનંદની વાત છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અનામત આદોલન સમિતિના સંયોજક ર્હાદિક પટેલ વિરુદ્ધ વિસનગરમાં નોંધાયેલાા ગુના સંદર્ભે હાઈકોર્ટમાં ગઈકાલે સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ જામીન મંજુર કર્યા હતા.

રાજદ્રોહના કેસમાં ર્હાદિકને જામીન મળી ચુક્‍યા હતા. ત્‍યારે ગઈકાલના કેસના ચુકાદા પર સૌની મીટ મંડાયેલી હતી. રાજદ્રોહના કેસમાં હાઈકોર્ટે શરત મુકી હતી કે, ર્હાદિક પટેલને જેલમાંથી છુટયા બાદ 48 કલાકમાં જ ગુજરાત છોડી દેવું પડશે. તો બીજી તરફ 9 મહિના મહેસાણામાં પ્રવેશબંધી અંગે પણ ર્હાદિક પટેલના વકીલે રજુઆત કરી હતી કે, મહેસાણામાં ર્હાદિક પટેલના કુળદેવી ઉમિયા માતાનું મંદિર હોવાથી દર્શનની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ હાઈકોર્ટે તેમની આ માંગણીને ગ્રાહ્ય રાખી ન હતી. ર્હાદિક પટેલની જામીન મળી જતાં ર્હાદિકના પરિવાજનો તથા પાટીદાર સમુદાયમાં ખુશીનો માહોલ સર્જાયા હતો. ર્હાદિક પટેલના ગ્રામજનોએ ફટાકડા ફોડીને તથા એકબીજાને પેંડા ખવડાવીને મોઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી. ર્હાદિક પટેલ સુરત ગયા બાદ વિરમગામ આવશે ત્‍યારે તેના સ્‍વાગત માટે જોરદાસ તૈયારી કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે ર્હાદિક પટેલને જામીન મળી હોવાથી તે ગુજરાત બહાર ક્‍યા સ્‍થળે જશે. સુત્રોના જણાવ્‍યા અનુસાર ર્હાદિક પટેલ જેલમાંથી મુક્‍ત થયા બાદ સુરતના વરાછામાં રેલી સંબોધિત કરશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments