Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર આંદોલનનો ફરી ભડકો-બોટાદની એસ.ટી બસો રદ

Webdunia
સોમવાર, 22 ફેબ્રુઆરી 2016 (16:41 IST)
સુરતમાં એસ.ટી. બસો સળગાવાયા પછી હવે સૌરાષ્ટ્રમાં પણ પાટીદાર આંદોલન ઉગ્ર બન્યું છે. બોટાદ તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં બસ સળગાવવાની બે અને જસદણમાં એક ઘટના સામે આવી છે. જેને કારણે બોટાદ તરફ જતી બસોનો રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.

બનાવની વિગત માહિતી પ્રમાણે, ગત મોડી રાત્રે બોટાદના લાઠીદડ પાસે અજાણ્યા શખ્સોએ એસ .ટી. બસ પર પથ્થરમારો કરી આગ લગાડવામાં આવી હતી. ત્યારે પીપરડી ગામેથી બોટાદ તરફ આવતી બસને તુરખા પાસે અજાણ્યા 6 લોકો બાઈક પર આવી બસને અટકાવી બસમાં બેઠેલા બે ત્રણ મુસાફરોને તેમજ ડ્રાયવર અને કન્ડંકટરને ધમકી આપી બસ પર પથ્થરમારો કરી બસને સળગાવી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા તરત જ એક ટીમ ઘટના સ્થળે પહોચી બસમાં લગાવેલી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચે તે પહેલા બસ સળગીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં બોટાદ એસ.પી., ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ આ સંદર્ભે એક તપાસ ટીમ બનાવી બસ સળગાવનાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્રીજી ઘટના જસદણ તાલુકાના આટકોટ ગામના ટી પોઇન્ટ પાસે બની હતી. ભાવનગર ભુજ રૂટની બસમાં તોડફોડ કરી હતી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments