rashifal-2026

આનંદીબેનના કાર્યક્રમમાં નારા લાગ્યા - 'જય સરદાર, જય પાટીદાર’

Webdunia
સોમવાર, 4 એપ્રિલ 2016 (16:29 IST)
ગુજરાત રાજ્યમાં વર્ષ 2017ની ચુંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન જિલ્લાઓમાં જાતે જઇને લોકદરબાર યોજીને પ્રજાના પ્રશ્નોના ઉકેલ લાવી રહ્યા છે. ગઇકાલે આનંદીબેન પટેલ જુનાગઢના ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને ત્યાર પછી પદ્મશ્રી ઍવોર્ડ વિજેતા ભીખુદાન ગઢવીનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં બે પાટીદાર યુવકોએ બેઠા બેઠા જ ‘જય સરદાર, જય પાટીદાર’ના નારા લગાવાતા બધાનું ધ્યાન તેમના તરફ ગયું હતું. જોકે, આ સંદર્ભે આનંદીબેન પટેલે ટકોર કરતાં પોલીસ આ બંને યુવકોને બહાર લઈ ગઈ હતી.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલના લોકસંવાદ કાર્યક્રમમાં ‘જય પાટીદાર’ ‘જય સરદાર’ના સૂત્રોચ્ચાર કરનાર બે પાટીદાર યુવાનોની પોલીસે તાત્કાલિક અટકાયત કરી હતી. કેશોદ પોલીસ બંને યુવાનોને પોલીસ સ્ટેશન લઇ ગયા પછી છોડી દીધા હતા. આ યુવકોએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમે ખાલી અમારો હક્ક માગ્યો હતો અને જય સરદારના નારા લગાવ્યા હતા.
રવિવારે જુનાગઢના ટાઉનહોલ ખાતે ગ્રામિણ પ્રજા સાથેની લોકસંવાદના કાર્યક્મમા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 63 પ્રશ્નો સામે આવ્યા હતા, જેમાંથી મોટાભાગના પ્રશ્નોને સ્થળ પર જ હલ કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના પ્રશ્નોને ઉકેલ માટે લાગતા વડગતા ડિપાર્ટમેંટને સૂચન કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ..

જરૂર વાંચો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments