Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહેસાણીથી ઊંઝા સુધીની યાત્રામાં ઉમટ્યા હજારો પાટીદારો

Webdunia
સોમવાર, 8 ઑગસ્ટ 2016 (13:55 IST)
રવિવારે પાટીદારોએ ફરીવાર ધમધમાટ શરૂ કર્યો હતો. પાટીદારોએ સ્વાભીમાન યાત્રા કાઢી હતી. જેમાં 50 હજારથી વધુ લોકો જોડાયા હતાં. તેઓ મહેસાણાથી ઊંઝા સુઘી પગપાળા પહોંચ્યા હતાં. આ યાત્રામાં ભજન મંડળીઓ, ઊંટલારીઓ, બળદગાડા, ટેક્ટર્સ, બાઇક સાથે પાટીદારો જોડાયા હતા. આ યાત્રામાં મહેસાણાથી લઈ ઊંઝા સુધી 1100થી વધારે સ્વયંસેવકો યાત્રામાં જોડાયેલા પાટીદારોની વ્યવસ્થામાં ખડેપગે હાજર રહ્યા હતા. પદયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તરફથી પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પાસ મહિલા કન્વીનર રેશ્મા પટેલે 2017માં સરકારને દેખાડી દઇશું, તેવી હુંકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ એવી વાત કરે છે કે, અમિત શાહ ચાણક્યનીતિથી સંગઠનની રચના કરે છે. પરંતુ હું કહીશ કે ચાણક્યનીતિ નહીં પણ શકુનિની નીતિથી સંગઠનની રચના કરી છે. જ્ઞાતિવાદને ભડકાવવાનો પ્રયત્ન કર્યો છે. એનું ઉદાહરણ આપતાં તેમણએ કહ્યું હતું કે, પાટીદાર દમન વખતે મુખ્યમંત્રીને આવતાં રોકાયા અને દલિતોને સહાનુભૂતિ આપવા માટે મોકલ્યા. આ સમયે વિજય રૂપાણીને કેમ આગળ ન કરાયા? તેમણે એમ પણ કહ્યું હતું કે, 10 ટકા ઇબીસીની જાહેરાત સમયે ભાજપે રૂપાણીને આગળ કરી તેમના દ્વારા 10 ટકા ઇબીસીની જાહેરાત કરાવી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments