ગુજરાતમાં પટેલો માટે અનામતની માંગ કરી રહેલા હાર્દિક પટેલે પોતાનુ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતાવની આપી છે. હાર્દિકે માંગ મુકી છે કે મંગળવારે પટેલો પર લાઠીચાર્જ કરનારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આગામી 36 કલાકની અંદર કાર્યવાહી કરવામાં આવે. તેમને સસ્પેંડ કરવામાં આવે નહી તો આંદોલનને જીલ્લા અને બ્લોક સ્તર પર લઈ જવામાં આવશે.
હાર્દિકે સીધુ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે આતંકવાદીઓએને બિરયાની ખવડાવવામાં આવે છે અને અમે જ્યારે અમારા હકની લડાઈ લડીએ છીએ તો અમારી પર લાઠીયો વરસાવવામાં આવે છે. હવે અમે અમારી લડાઈ ગામ ગામ સુધી લઈ જઈશુ.