Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી ઉત્સવોથી વિદેશી પ્રવાસીઓ આકર્ષાયા નહીં, ઉત્સવો પાછળ ૪૩ કરોડનો ધૂમાડો

Webdunia
મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (12:17 IST)
ઉત્સવો ઉજવવામાં ભાજપ સરકાર માહિર છે. પ્રવાસીઓને આકર્ષવાના હેતુસર કરોડોનો ખર્ચ કરી ઉત્સવો ઉજવ્યા પણ તેનો હેતુ જ સર્યો નહીં . ભાજપ સરકારે પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવ અને રણોત્સવ પાછળ છેલ્લાં ત્રણેક વર્ષમાં રૃા.૪૩ કરોડનો ધૂમાડો કર્યો હતો. ગુજરાતમાં સરકાર દ્વારા ઉજવાતા ઉત્સવોમાં માત્ર ૨૪૫ જ વિદેશી મહેમાનો આવ્યા હતાં . ઉત્સવો ઉજવવા પાછળ સરકારનો એવો દાવો રહ્યો છેકે, ગુજરાતના ઉત્સવો થકી દેશવિદેશના પ્રવાસીઓને આકર્ષવા પણ આ દાવો પોકળ સાબિત થયો છે.

રણોત્સવમાં ત્રણ વર્ષમાં માત્ર ૩૮ જ વિદેશીઓ આવ્યા છે જયારે પતંગોત્સવમાં ૧૪૯ વિદેશીઓ ઉપસ્થિત રહ્યા હતાં. નવરાત્રી માણવા ગુજરાત આવનારાં વિદેશીઓની સંખ્યા માત્ર ૫૮ જ રહી છે. પ્રવાસીઓને આકર્ષવાના ભાગરૃપે ઉજવાતાં રણોત્સવ પાછળ સરકારે ત્રણ વર્ષમાં રૃા.૧૦.૪૨ કરોડ , પતંગોત્સવ પાછળ રૃા.૧૧.૮૫ કરોડ અને નવરાત્રી મહોત્સવ પાછળ રૃા.૨૦.૩૩ કરોડનો ખર્ચ કર્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ છેકે, ભાજપ સરકાર દર વર્ષે આ ત્રણેય ઉત્સવો પાછળ રૃા.૧૫ કરોડનો ખર્ચ કરે છે. આમ છતાંયે દેશવિદેશી પ્રવાસીઓ ગુજરાતમાં ડોકાતા નથી. પ્રવાસન ક્ષેત્રમાં મૂડીરોકાણ વધતુ નથી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments