Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2021 KKR vs MI: શુ મળશે હરભજનને સિંહને સ્થાન ? કંઈક આવુ હોઈ શકે છે KKR નુ પ્લેઈંગ XI

Webdunia
મંગળવાર, 13 એપ્રિલ 2021 (17:13 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)2021માં આજે કલકત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ને મુંબઈ ઈંડિયંસના પડકારનો સામનો કરવાનો છે. બંને ટીઓ આ સીઝનમાં પોતપોતાની બીજી મેચ રમવા ઉતરશે. મુંબઈ ઈંડિયંસે પહેલી મેચમાં રોયલ ચેલેજર્સ બેંગલોર (આરસીબી)ના વિરુદ્ધ બે વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ કેકેઆર એ પોતાના ઓપનિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને ધૂળ ચટાવી હતી. પહેલી મેચના પ્લેઈંગ ઈલેવનમાં કેકેઆરની તરફથી પહેલી મેચ રમવા માટે હરભજન સિંહ ઉતરયા તો હતા, પણ તેમણે માત્ર એક ઓવરમાં જ બોલિંગ કરવાની તક મળી હતી. 
 
કેકેઆર પાસે બોલિંગના ઘણા ઓપ્શન હતા, આવામાં મુંબઈ ઈંડિયંસના મજબૂત બોલિંગ અટેક સામે કેકેઆર સ્ટ્રોંગ બેટિંગ ઓર્ડર સાથે ઉતરવુ પસંદ કરશે. અને આ માટે હરભજન સિંહને પ્લેઈંગ XIથી બહાર કરી શકાય છે. તેના સ્થાન પર શેલ્ડન જૈક્સનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. જૈક્સને અત્યાર સુધી કુલ ચાર જ આઈપીએલ મેચ રમી છે.  પણ હાલમાં તેમણે વિજય હજારે ટ્રોફીમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. આવામાં તેના આવવાથી કેકેઆરનુ બેટિંગ ઓર્ડર થોડુ વધુ મજબૂત થઈ શકે છે. 
 
નીતિશ રાણા અને રાહુલ ત્રિપાઠીએ અગાઉની મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને એક વાર ફરી બંને પાસેથી આવી જ તાબડતોડ બેટિંગની આશા હતી. આંદ્ર રસેલ જો બેટિંગથી ફ્લોપ થયા હતા, તો તેમણે તેની ભરપાઈ બોલિંગથી કરી હતી. જાણીતા કૃષ્ણાએ પણ શાનદાર બોલિંગ કરી હતી અને આ ઉપરાંત પૈટ કમિસ પણ છે જે ટીમના બોલિંગ અટેકની ધાર વધારે છે. શાકિબ અલ હસન અને વરુણ ચક્રવર્તી સ્પિન ડિપાર્ટમેંટ સાચવતા જોવા મળી શકે છે. 
 
કેકેઆરના શક્યત પ્લેઈંગ XI: નીતીશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, આંદ્રે રસેલ, ઈયોન મોર્ગન (કપ્તાન), દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન શેલ્ડન જૈક્સન, પૈટ કમિસ, પ્રસિદ્ધ કૃષ્ણા, વરુણ ચક્રવર્તી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments