Webdunia - Bharat's app for daily news and videos

Install App

51 Shaktipeeth : મા વારાહી પંચ સાગર શક્તિપીઠ - 36

Webdunia
શુક્રવાર, 4 ઑક્ટોબર 2024 (18:43 IST)
Panchsagar shakti peeth varanasi - દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન 
શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને 
વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ.
 
પંચસાગર- વારાહી શક્તિપીઠ: માતાના નીચેના દાંત (અજાણ્યા) પંચસાગરમાં પડી ગયા હતા. તેની શક્તિ વારાહી છે અને ભૈરવ મહારુદ્ર કહેવાય છે. કેટલાક લોકો માને છે કે આ જગ્યા વારાણસી પંચ સાગર વિસ્તારમાં છે, છત્તીસગઢના દંતેવાડામાં પણ એક મંદિર છે, જેનું નામ દંતેશ્વરી મંદિર છે. અહીંના લોકોનું માનવું છે કે આ મંદિરની જગ્યાએ સતી માના દાંત પડી ગયા હતા. આ કારણે આ મંદિર એક શક્તિપીઠ છે. ત્રીજું મંદિર દેવીધુરામાં છે, જે ઉત્તરાખંડ રાજ્યના લોહાઘાટ શહેરથી 60 કિમી દૂર છે. પરંતુ મોટાભાગના અભિપ્રાય માત્ર વારાણસીના સમર્થનમાં છે. વારાણસીના પંચ સાગર મંદિરમાં વારાહીના રૂપમાં માતાની પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં, વારાહી માતાની પૂજા ત્રણેય સંપ્રદાયોમાં થાય છે જેમ કે શક્તિત્મા (દેવીની પૂજા કરવામાં આવે છે), શૈવ ધર્મ (ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે) અને વૈષ્ણવ ધર્મ (ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે). વારાહીનું વર્ણન પુરાણોમાં પણ કરવામાં આવ્યું છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

51 Shaktipeeth : શ્રીસુંદરી શ્રી પર્વત લદ્દાખ શક્તિપીઠ - 37

51 Shaktipeeth : મા વારાહી પંચ સાગર શક્તિપીઠ - 36

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

કાત્યાયની માતાની આરતી

સ્કંદમાતાની આરતી

આગળનો લેખ
Show comments