માર્કંળ્ડેનમાં બ્રહ્માજીએ મનુષ્યની રક્ષા માટે પરમગોપનીય સાધન કલ્યાણકારી દેવી કવચ અને પરમ પવિત્ર ઉપાય સંપૂર્ણ પ્રાણીઓને બતાવ્યો, જે દેવીની નવ મૂર્તિઓ સ્વરૂપ છે. જેને નવદુર્ગા કહેવામાં આવે છે. એમની આરાધના અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદાથી મહાનવમી સુધી કરવામાં આવે છે.
શ્રી દુર્ગા સપ્તશતીના પાઠ મનોરથ સિદ્ધિ માટે કરવામાં આવે છે, કારણ કે સ્ર્હી દુર્ગા સપ્તશતી દૈત્યોના સંહારની શોર્ય ગાથાથી વધુ કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિવેણી છે. આ શ્રી માર્કળ્ડેય પુરાણનો અંશ છે. આ દેવી મહાત્મય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરૂષાર્થોને પ્રદાન કરવામાં સક્ષમ છે. સપ્તશતીમાં કેટલાક એવા પણ સ્ત્રોત અને મ6ત્ર છે, જેની વિધિવત પારાયણથી ઈચ્છિત મનોકામનાની પૂર્તિ થાય છે.
सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी। एवमेव त्याया कार्य मस्माद्वैरि विनाशनम्॥
જાપ વિધિ : શુદ્ધ પવિત્ર આસન પર બેસીને રુદ્રાક્ષ કે તુલસી કે ચંદનની માળાથી મંત્રનો જાપ એક માળાથી પાંચ માળા સુધી પૂર્ણ કરી તમારી મનની ઈચ્છા કહો. પૂરી નવરાત્રિ જાપ કરવાથી મનવાંછિત ઈચ્છા પૂર્ણ જરૂર થાય છે. સમય ન હોય તો ફક્ત દસ વાર મંત્રનો જાપ રોજ કરવાથી પણ મા દુર્ગા પ્રસન્ન થાય છે.