28 સપ્ટેમ્બરના રોજ નવરાત્રિ શરૂ થાય છે. આ દિવસે ઘણા લોકો મૂર્તિને સ્થાપના કરે છે તો કેટલાક લોકો ઘટસ્થાપના કે જ્વારાનું પૂજન કરે છે. પ્રથમ દિવસે મૂર્તિની સ્થાપના વિધિપૂર્વક થયા પછી નવ દિવસ સુધી માતાના ઉપાસકો અને યુવક-યુવતીઓ સૌ કોઈ ગરબે ઘુમે છે.
જ્યા તમે માતાજી બેસાડવાના હોય તે પવિત્ર સ્થાન પર માટીના ઘડામાં કે પછી તમારી ઈચ્છામુજબ સોના ચાંદીના કળશની સ્થાપના કરો. તમે આ સ્થાન આગળ માતાજીની મૂર્તિ, ફોટો પણ મુકી શકો છો. જો તમે મૂર્તિ વિરાજીત કરવા ન માંગતા હોય તો કળશ પર સ્વસ્તિક બનાવીને માતાજીની ચોપડી પણ મુકી શકો છો.