કળશ સ્થાપના એ માં દુર્ગાનું તમારા ઘરમાં આગમનનું પ્રતિક ગણાય છે. આ એક શુદ્ધતા અને શુકન ગણાય છે. કળશ સ્થાપના કરવાથી ઘરમાં સકારાત્મકતા અને ખુશીઓનું આગમન થાય છે.
જ્વારા કે ઘઉં રોપવા - બીજ આપણને અનાજ આપે છે. નવરાત્રિમાં બીજ રોપવા (જ્વારા ઉગાડવા)એ તમારા ઘરની સુખ સંપત્તિ વધવાનુ પ્રતિક ગણાય છે. (જે રીતે જ્વારા વધે એ રીતે તમારા ઘરની સુખ-શાંતિ વધે એમ કહેવાય છે)
ઘટસ્થાપનાની સરળ વિધિ - નવરાત્રિ શરૂ થતા પહેલા તમારા ઘરમાં સારી રીતે સાફ સફાઈ કરો
- સવારે જલ્દી ઉઠી નિત્ય કાર્યથી પરવારી ઘટસ્થાપના કરવાના સ્થળને ગંગાજળ છાંટી શુદ્ધ કરો અને ડેકોરેટ કરો.
- કળશને સાફ કરી પાણીથી ભરો અને ભગવાનની સામે મુકો, તમે તાંબાનો કે ચાંદીનો કળશ પણ વાપરી શકો છો.
- હવે કળશમાં શુદ્ધ પાણી ભરો, તેની ઉપર આસોપાલવ કે કેરીના ઝાડના પાન મુકો અને તેની પર નારિયળ મુકો.
- હવે કળશની ઉપર લાલ દોરો બાંધો.
- હવે બાગની માટી લાવીને કળશની આસપાસ નાખો અને તેમા થોડા અનાજના બીજ નાખી દો. તમે આ માટે કોઈ વાસણનો પણ ઉપયોગ કરી શકો છો.
- સવાર સાંજ આરતી કરી દિપક પ્રગટાવો, તમે અખંડ જ્યોત પણ પ્રગટાવી શકો છો.
- દુર્ગા દેવીને ચુંદડી, ફુલ, પાન, ચોખા, હળદર, કંકુ, ચંદન અને બીજી પૂજા સામ્રગી ચઢાવો.
- મંત્ર વડે કે માતાના 108 નામનું સ્મરણ કરો.
- હવે આરતી કરીને મા દુર્ગાને પ્રસાદ અર્પણ કરો.