rashifal-2026

Navratri Health Tips 2025: નવ દિવસના વ્રત દરમિયાન ન કરશો આ ભૂલ નહી તો વજન ઘટે નહી વધી જશે

Webdunia
બુધવાર, 24 સપ્ટેમ્બર 2025 (07:50 IST)
વ્રત ફક્ત તમને સકારાત્મકતા જ નથી આપતુ પણ તમારા આરોગ્ય માટે પણ ખૂબ સારુ હોય છે. મોટાભાગના હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ જરૂર કરવો જોઇએ. તેનાથી બોડી ખુદને ડિટૉક્સ કરી લે છે. આવી સ્થિતિમાં જેઓ વધારે વજન ધરાવે છે અને તેઓ જલ્દી તેને ઓછુ કરવા માંગે છે તો તેમને માટે નવરાત્રીનુ વ્રત (Navratri Vrat) એક સોનેરી તક છે, કારણ કે નવ દિવસના ઉપવાસ શરીરને  વધારાની કેલરીથી બચાવી શકાય છે.
 
પરંતુ ઘણા લોકો ઉપવાસ કરતી વખતે ખોરાક તો છોડી દે છે, પરંતુ તેના સ્થાને તેઓ એવી વસ્તુઓ ખાય છે, જે તેમના વજનને ઘટાડવાને બદલે વધારે છે. જો તમે પણ વજન ઘટાડવાના ઈરાદાથી નવરાત્રીનો ઉપવાસ કરી રહ્યા છો, તો તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમે પણ તે ભૂલ તો નથી કરી રહ્યા ને, જેના કારણે તમારું વજન ઘટવાને બદલે વધી રહ્યું છે
 
ફળ અને શાકભાજીને નજરઅંદાજ કરવાની ભૂલ 
 
ઉપવાસ દરમિયાન ફળો અને શાકભાજીનું વધુ સેવન કરવું જોઈએ કારણ કે તેમાં તમામ પોષક તત્વો હોય છે જે શરીરને ઉર્જા આપે છે. વળી, તેઓ વજન વધારતા નથી. પરંતુ લોકો તેની જગ્યાએ શીરો, સાબુદાણાની ખીર, મખાનાની ખીર, બરફી, લસ્સી વગેરે લે છે. આનાથી ચોક્કસ પેટ ભરેલુ લાગે છે. પરંતુ વધુ મીઠાઈ ખાવાથી શરીરને વધુ કેલરી મળે છે અને વજન વધે છે. જો તમે વજન પ્રત્યે સભાન હોવ તો તમારે ઓછામાં ઓછી ખાંડ લેવી જોઈએ. તેથી, ઉપવાસ દરમિયાન વધુમાં વધુ ફળો અને શાકભાજી ખાવ. 
 
ઘી અને તેલનુ વધુ સેવન 
 
આજકાલ ઉપવાસની તમામ વાનગીઓ નેટ પર પણ ઉપલબ્ધ છે. ઉપવાસ દરમિયાન, લોકો કટ્ટુના પકોડા, રાજગરાની પુરી, સાબુદાણાની ખીચડી, બટાકાની ટિક્કી, સાબુદાણા વડા, રાજગીર પનીર પરાઠા, દહીં-બટાકા વગેરે ખાય છે. આ બધી વસ્તુઓમાં ઘણું ઘી અને તેલ નાખવામાં આવે છે. આવી સ્થિતિમાં આપણે સામાન્ય દિવસો કરતાં પણ વધુ ઘી અને તેલનું સેવન કરીએ છીએ. તેના કારણે શરીરમાં ચરબી વધે છે અને વજન ઓછું થવાને બદલે વધે છે.
 
ઓછું પાણી પીવુ 
 
જો તમે ખરેખર વજન ઘટાડવા માંગો છો, તો ઓછું પાણી પીવાની ભૂલ ન કરો. પાણી તમારા શરીરને ડિટોક્સ કરે છે અને તમારી ત્વચાને ગ્લોઈંગ બનાવે છે. તેથી પાણી પીને શરીરને હાઇડ્રેટેડ રાખો.
 
બહારનો ખોરાક ખાવો 
 
આજકાલ બજારમાં ઉપવાસનો સામાન પણ પેકેટમાં વેચાય છે. બટાકાની ચિપ્સ, મખાણા, પાપડ વગેરે તમામ વસ્તુઓ વેચાય છે. આ વસ્તુઓ તમારું વજન વધારવાનું કામ કરે છે. તેથી તેને ખાશો નહીં. પેકેટબંધ ફૂડને બદલે ઘરે બનાવેલી વસ્તુઓ ખાવ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

વધુ જુઓ..

નવીનતમ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

આગળનો લેખ
Show comments