Biodata Maker

Shardiya Navratri 2023 : નવરાત્રીના વ્રત પહેલા કરી લો આ કામ, પૂરી થશે દરેક મનોકામના

Webdunia
મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (18:56 IST)
નવરાત્રી  (Navratri) નો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીના ઉપવાસ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રથમ તિથીથી નવમી તિથિ સુધી નવ દિવસ માતા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રી ઉપવાસના નવ દિવસનું વિશેષ મહત્વ છે. અનેક લોકો વ્રત કંઈપણ ખાધા-પીધા વગર નવરાત્રીનુ વ્રત રાખે છે. તો બીજી બાજુ કેટલાક લોકો ફળાહારી વ્રત કરે છે. નવરાત્રી દરમિયાન દરરોજ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે નવરાત્રીનો તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. 
 
નવરાત્રિ દરમિયાન ઘણા લોકો ઘરમાં કળશની સ્થાપના કરે છે. આ નવ દિવસો દરમિયાન, ભક્તોએ ઘણા નિયમોનું પાલન કરવાનુ હોય છે. ચાલો જાણીએ મા દુર્ગાના આગમન પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
 
1. નવરાત્રીના ઉપવાસ દરમિયાન સંપૂર્ણ સાત્વિક ખોરાક લેવો જોઈએ. લસણ અને ડુંગળીનો ઉપયોગ ખોરાકમાં ન કરવો જોઈએ. આ સિવાય કોઈને માટે ખરાબ ન બોલવું જોઈએ.
 
2. મા દુર્ગાના આગમન પહેલા ઘરને સાફ કરો. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી હોય ત્યાં માતાની કૃપા થતી નથી. તેથી નવરાત્રિ દરમિયાન ઘરની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ઘરના પૂજા સ્થળને સારી રીતે સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. આવુ કરવાથી તમારું ઘર પવિત્ર થઈ જશે.
 
3. નવરાત્રિમાં રંગોનું વિશેષ મહત્વ છે. દરેક દિવસે જુદા જુદા રંગના કપડા પહેરવામાં આવે છે. આ ઉપરાંત ઘરમાં ઉપવાસની વસ્તુઓ પહેલાથી લાવી રાખો. આ માટે કટુનો લોટ, મોરિયો, શિંગોડાનો લોટ, સાબુદાણા, આખુ મીઠું, ફળ, બદામ, મખાણા વગેરે મંગાવો.
 
4. ઘરના જે ભાગમાં માતાની સ્થાપના કરવાની હોય તેની સામે સ્વસ્તિકનુ નિશાન બનાવો. આ ઉપરાંત કળશ સ્થાપનાની પૂજા સામગ્રી એક જગ્યાએ એકત્રિત કરી રાખો જેથી પૂજા સમયે કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે..
 
5. નવરાત્રિની શરૂઆત પહેલા તમારા ઘરમાંથી નોનવેજ વસ્તુઓ ફેંકી દો. આગામી નવ દિવસ સુધી આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
 
6. જો તમે વાળ, દાઢી કાપવાનું વિચારી રહ્યા છો, તો નવરાત્રિ પહેલા તેને કાપી નાખો. નવરાત્રિમાં આ બધી વસ્તુઓ કરવી અશુભ માનવામાં આવે છે. આ સિવાય નખ કાપવા પણ વર્જિત માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments