Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીના નવ રંગ – જાણો દરેક રંગનુ મહત્વ

Webdunia
સોમવાર, 12 ઑક્ટોબર 2015 (15:48 IST)
આજકાલ આધુનિકતાના કારણે અલગ અલગ પ્રકારનાં વસ્ત્રો યુવક-યુવતીઓ પહેરે છે તેથી તેમાં ચોક્કસ દિવસે ચોક્ક્સ રંગો પહેરવાની પરંપરા લુપ્ત થઈ ગઈ છે. મા શક્તિનાં વસ્ત્રો જે રંગનાં હોય તે જ રંગનાં વસ્ત્રો પહેરવાથી પુણ્ય તો મળે જ છે પણ સાથે સાથે એક માહોલ પણ સર્જાય છે.

લાલ : નવરાત્રિની શરૂઆત થાય તે દિવસે માટીનો કુંભ મૂકવામાં આવે છે અને તેને ઘટસ્થાપ્ના કહેવામાં આવે છે. આ દિવસે જે પૂજા કરાય છે તેને પ્રથમી પૂજા કહેવામાં આવે છે. આ દિવસે મા શક્તિને લાલ કલરનાં વસ્ત્રો પહેરાવાય છે. લાલ રંગ હિન્દુ સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે તેથી પહેલા દિવસે લાલ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.

આસમાની : નવરાત્રિનો બીજો દિવસ આકાશના આસમાની જેવા રંગનાં વસ્ત્રો માં શક્તિને પહેરાવાય છે. માં શક્તિનો વ્યાપ આકાશની જેમ અનંત સુધી છે તે દર્શાવવા આ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.  શક્તિની સ્થાપ્ના પછી તરત જ તેની અનંતતાનો અહેસાસ કરાવવા માટે આ દિવસે આસમાની રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.

પીળા : નવરાત્રિનો ત્રીજો દિવસને સૌભાગ્ય તૃતીયા પણ કહે છે. સૌભાગ્ય સાથે પીળા રંગનો સંબંધ છે તેથી આ દિવસે મા શક્તિને પીળા રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. આ દિવસને સૌભાગ્યવતીઓ માટે ખાસ દિવસ ગણવામાં આવે છે.

લીલો - ચોથો દિવસે  મા શક્તિની આરાધનાથી આયુષ્ય વધે છે તેવી માન્યતા છે. આ દિવસે પણ મા શક્તિને લીલા રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. લીલો રંગ હરિયાળીનો સંકેત આપે છે. હરિયાળી એટલે સમૃદ્ધિ અને સુખ. જીવનમાં સુખ અને સમૃદ્ધિનો અહેસાસ સતત થાય એટલા માટે આ રંગને સતત સાથે રાખવો જરૂરી છે.

 રાખોડી : નવરાત્રિનો પાંચમો મહાપંચમી તરીકે ઉજવાય છે હિન્દુ સંસ્કૃતિ શુદ્ધીકરણ માટે યજ્ઞ કરવાની પરંપરા ધરાવે છે. આ યજ્ઞ કરવાથી બધાં પાપો બળીને નાશ પામે છે અને જે રાખ રહી જાય આ દિવસે રાખોડી કલરનાં વસ્ત્રો મા શક્તિને પહેરાવાય છે

કેસરી : નવરાત્રિનો છઠ્ઠો  દિવસ શુદ્ધ ષષ્ઠી તરીકે ઉજવાય છે આ દિવસે મા શક્તિને કેસરી રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. હિન્દુ સંસ્કૃતિમાં કેસરી રંગનું બહુ મહત્ત્વ છે આ રંગ અધ્યાત્મનો રંગ છે અને ત્રણ રાત્રિના ઉપવાસ દ્વારા અધ્યાત્મનો રંગ ચડાવવાની શરૂઆત થાય છે તેથી એ દિવસે કેસરી રંગ પહેરવાનો મહિમા છે.

સફેદ :  નવરાત્રિનો સાતમો દિવસ મહાસપ્તમી કહેવાય છે  તે દિવસે મા શક્તિને સફેદ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. આ દિવસે મા સરસ્વતીની પૂજા કરાય છે. સરસ્વતી જ્ઞાનની દેવી છે અને અધ્યાત્મા સાથે જ્ઞાન આવે છે તેથી આ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.

ગુલાબી : નવરાત્રિના આઠમાં  દિવસે મા શક્તિને ગુલાબી રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. અષ્ટમીના દિવસે મા સરસ્વતીની પૂજા કરાય છે. સરસ્વતી જ્ઞાનની દેવી છે અને અધ્યાત્મા સાથે જ્ઞાન આવે છે તેથી આ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.

વાદળી : આ  દિવસે . સુહાસિની પૂજાના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.  અધ્યાત્મ અને જ્ઞાન બાદ સહજ બની જવાય છે તેથી આ દિવસે વાદળી રંગ પહેરાવામાં આવે છે. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments