Dharma Sangrah

જો ગરબાનો નવ દિવસ સુધી આનંદ ઉઠાવવો છે તો બનાવો Diet plan (see Video)

Webdunia
રવિવાર, 25 સપ્ટેમ્બર 2016 (16:04 IST)
નવરાત્રીમાં ગરબા રમવા ગુજરાતની પરંપરા છે.  હવે આ પરંપરા અન્ય રાજ્યોની ફેશન બની ગયુ છે. તેથી જ તો નવરાત્રી આવતા જ દરેક શહેરોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે.  પરંતુ અનેક કલાકો સુધી ગરબા રમવાથી તમારી એનર્જી લેવલ પર ઘણી અસર પડે છે. આવામાં જરૂરી છે કેટલીક વાતોનું ધ્યાન આપવામાં આવે જેથી સ્ટેમિના પણ કાયમ રહે. 
 
- મોડી રાત સુધી ગરબા ચાલે છે તેથી આ દરમિયાન પણ આઠ કલાકની ઊંધ જરૂર લઈ લો. જો રાત્રે મોડા સૂવો છો તો દિવસે ઊંઘ પૂરી કરો. 
 
- ગરબા રમવા દરમિયાન પરસેવો વધુ આવે છે તેથી દિવસમાં 12-15 ગ્લાસ પાણી જરૂર પીવો.  
 
- જો તમે રોજ ગરબા રમી રહ્યા છો તો તમારા સામાન્ય આહારમા& 300-400 કેલોરી વધુ લો. 
 
- સવારે ગરમ પાણીમાં એક લીંબુનો રસ અને 1/4 ચમચી મધ મેળવીને જરૂર પીવો. 
 
- સવારે 10-11 વાગ્યેની વચ્ચે એવા ફળોનું સેવન કરો જેમા વધુ કેલોરી હોય. 
 
- બપોરે ભોજનમાં 2 રોટલી મિક્સ લોટની(multi grain), શાક, દહી, સલાડ અને કંઈક ગળ્યુ લો. બપોરે મિલ્ક શેક, જ્યુસ કે નારિયળના પાણીમાંથી કોઈ એક ડ્રિંક જરૂર લો. 
 
- ગરબા રમવા જવાના 2-3 કલાક પહેલા બાફેલા બટાકા, સાબુદાણાની ખીચડી , રોસ્ટેડ ગ્રાઉંડંટ્સ જેવા વ્યંજનો અને ફળોનુ સેવન કરો. 
 
- ગરબા રમવા દરમિયાન દર અડધો કલાકના અંતરે ગ્લુકોઝ પીતા રહો. આનાથી કમજોરી નથી આવતી. 
 
- ગરબા રમીને આવ્યા પછી હુંફાળા પાણીથી પગ જરૂર ધુવો. આનાથી શરીર અને પગને ઘણો આરામ મળશે. 
 
- રાત્રે સૂતા પહેલા પણ એક ગ્લાસ દૂધનુ સેવન જરૂર કરો. 
 
- ગરબા દરમિયાન તળેલો ખોરાક, ફાસ્ટ ફુડ અને બજારનુ ખાવાનુ બની શકે ત્યા સુધી એવોઈડ કરો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

તમાલપત્ર પાણી પીવાના ફાયદા, વજન ઘટાડવા માટે કેટલા દિવસ પીવું જોઈએ, આ બિમારીમાં પણ છે લાભકારી

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

વધુ જુઓ..

નવીનતમ

Ratha Saptami 2026: રથ સપ્તમી 2026 ક્યારે છે ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

આગળનો લેખ
Show comments