Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરબા રમવાની મજા આ વખતે ખેલૈયાઓ માટે ખુશખબરી : નવલી નવરાત્રીની મજા માણો 10 દિવસ

Webdunia
સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (13:35 IST)
ગુજરાતીઓ માટે નવરાત્રી  જેટલું મહત્વ ભાગ્યે જ કોઇ બીજા પ્રસંગનું હશે. ગરબાનો મુખ્ય ઉત્સવ એટલે નવરાત્રી. જો કે છેલ્લા બે વર્ષોથી નવરાત્રી 8 જ દિવસની હતી.  આ વર્ષે અદ્ભત સંયોગ સર્જાયો છે જેનાં કારણે નવરાત્રી 10 દિવસની રહેશે. જેથી યુવા હૈયાઓને એક દિવસ વધારાનો મળશે. 16 વર્ષ બાદ નવરાત્રીમાં ખાસ સંયોગ બની રહ્યો છે. બીજ સતત બે દિવસ હોવાનાં કારણે શારદીય નવરાત્રી નવના બદલે 10 દિવસની હશે. શ્રાદ્ધ પક્ષ સમાપ્ત થતાની સાથે જ શારદીય નવરાત્રી આરંભ થઇ રહી છે. 1 ઓક્ટોબરથી નવરાત્રી પ્રારંભ થશે. આ વખતે દુર્ગાજી અશ્વ પર આવશે અને ભેંસ પર બેસીને જશે. શારદીય નવરાત્રી અશ્વિની માસનાં શુક્લ પક્ષથી આરંભ થાય છે. આ વખતે ગજકેશરી યોગમાં શારદીય નવરાત્રી હશે. એવું એટલા માટે કે ગુર તથા ચંદ્રમાં એક સાથે કન્યા રાશીમાં લગ્ન સ્થાનમાં હોવાના કારણે ગજકેશરી મહાસંયોગ બની રહ્યો છે. શારદીય નવરાત્રીમાં શક્તિ સ્વરૂપા માં દુર્ગાનાં નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. 1 ઓક્ટોબરથી ચાલુ થઇને શારદીય નવરાત્રી ઉત્સવ 10 ઓક્ટોબર સુધી ચાલશે. ખાસ વાત છે કે આ વખતે માં દુર્ગાનું આગમન અશ્વથી થશે તો ગમન પાડા પર થશે. જે અતિ શુભ માનવામાં આવે છે. દેવીપુરાણમાં ઉલ્લેખ છે કે નવરાત્રીમાં ભગવતીનાં આગમન તથા પ્રસ્થાન માટે વાર અનુસાર વાહન ગણાવાયા છે.ગરબા રમવાની મજા આ વખતે ખેલૈયાઓ માટે ખુશખબરી : નવલી નવરાત્રીની મજા માણો 10 દિવસ

ગુજરાતીઓ માટે નવરાત્રી  જેટલું મહત્વ ભાગ્યે જ કોઇ બીજા પ્રસંગનું હશે. ગરબાનો મુખ્ય ઉત્સવ એટલે નવરાત્રી. જો કે છેલ્લા બે વર્ષોથી નવરાત્રી 8 જ દિવસની હતી.  આ વર્ષે અદ્ભત સંયોગ સર્જાયો છે જેનાં કારણે નવરાત્રી 10 દિવસની રહેશે. જેથી યુવા હૈયાઓને એક દિવસ વધારાનો મળશે. 16 વર્ષ બાદ નવરાત્રીમાં ખાસ સંયોગ બની રહ્યો છે. બીજ સતત બે દિવસ હોવાનાં કારણે શારદીય નવરાત્રી નવના બદલે 10 દિવસની હશે. શ્રાદ્ધ પક્ષ સમાપ્ત થતાની સાથે જ શારદીય નવરાત્રી આરંભ થઇ રહી છે. 1 ઓક્ટોબરથી નવરાત્રી પ્રારંભ થશે. આ વખતે દુર્ગાજી અશ્વ પર આવશે અને ભેંસ પર બેસીને જશે. શારદીય નવરાત્રી અશ્વિની માસનાં શુક્લ પક્ષથી આરંભ થાય છે. આ વખતે ગજકેશરી યોગમાં શારદીય નવરાત્રી હશે. એવું એટલા માટે કે ગુર તથા ચંદ્રમાં એક સાથે કન્યા રાશીમાં લગ્ન સ્થાનમાં હોવાના કારણે ગજકેશરી મહાસંયોગ બની રહ્યો છે. શારદીય નવરાત્રીમાં શક્તિ સ્વરૂપા માં દુર્ગાનાં નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. 1 ઓક્ટોબરથી ચાલુ થઇને શારદીય નવરાત્રી ઉત્સવ 10 ઓક્ટોબર સુધી ચાલશે. ખાસ વાત છે કે આ વખતે માં દુર્ગાનું આગમન અશ્વથી થશે તો ગમન પાડા પર થશે. જે અતિ શુભ માનવામાં આવે છે. દેવીપુરાણમાં ઉલ્લેખ છે કે નવરાત્રીમાં ભગવતીનાં આગમન તથા પ્રસ્થાન માટે વાર અનુસાર વાહન ગણાવાયા છે.

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments