Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવસેનાના નેતા સંજય રાઉતની EDએ ધરપકડ કેમ કરી?

Webdunia
સોમવાર, 1 ઑગસ્ટ 2022 (08:38 IST)
પ્રવર્તન નિદેશાલયે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની અટકાયત કરી છે. રાઉતને ઈડીના કાર્યાલય લઈ જવામાં આવ્યા છે. ઈડી કાર્યાલય બહારથી મીડિયા સાથે વાત કરતાં સંજય રાઉતે કહ્યું કે તેઓ મારી ધરપકડ કરવા જઈ રહ્યા છે અને હું મારી ધરપકડ કરાવવા જઈ રહ્યો છું.
 
સમાચાર એજન્સી એએનઆઈએ એક ટ્વીટ કરીને માહિતી આપી હતી કે શિવસેનાના સાંસદ સંજય રાઉતના ઘરેથી EDએ 11.50 લાખ રૂપિયાની રોકડ કબજે કરી છે.
<

ED seizes Rs 11.50 lakh unaccounted money from Shiv Sena leader Sanjay Raut's residence

Read @ANI Story | https://t.co/jVdN2ww1x6#SanjayRaut #EDDetainsSanjayRaut pic.twitter.com/HbvKlfz5Oo

— ANI Digital (@ani_digital) July 31, 2022 >
સંજય રાઉતે પોતાના પરની કાર્યવાહી અંગે આગળ કહ્યું કે, "સંજય રાઉત ક્યારેય હાર નહીં માને, શિવસેના નહીં હારે. તમે બેશરમ લોકો છો, મહારાષ્ટ્ર કમજોર થયું એ વાતની તમને શરમ આવવી જોઈએ. આવું શિવસેનાને કમજોર કરવા માટે કરાઈ રહ્યું છે. શિંદે સમૂહને શરમ આવવી જોઈએ."
 
આ કાર્યવાહી બાદ સંજય રાઉતે એક ટ્વીટ પણ કર્યું. તેમાં તેમણે કહ્યું છે કે, "તમે એ વ્યક્તિને ન હરાવી શકો જો ક્યારેય હાર નથી માનતી. નમીશું નહીં, જય મહારાષ્ટ્ર."
 
આ દરમિયાન જ્યારે રાઉતને ઈડી કાર્યાલય લઈ જવાઈ રહ્યા હતા ત્યારે બીબીસી મરાઠીના સંવાદદાતાએ પૂછ્યું કે શું તેમની ધરપકડ કરાશે? આ અંગે તેમણે કહ્યું કે અમે લડીશું.
 
ઈડી 31 જુલાઈની સવારથી જ રાઉત દંપતીની પૂછપરછ કરી રહ્યું હતું. રાઉતના ઘરે પ્રવર્તન નિદેશાલય (ઈડી)ની ટીમે દરોડો પાડ્યો. ઈડીએ મુંબઈના ભાંડુપમાં એક ઘર પર રેડ કરી.
 
રાઉતની લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરાઈ. સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે જણાવ્યું કે તપાસ બાદ સંજય રાઉતની અટકાયત કરાઈ હતી.
 
પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીની ટીમે રવિવારે સવારે શિવસેનાના નેતા સંજય રાઉતના મુંબઈના મુલંડના ઘરે છાપો માર્યો હતો, જે બાદ તેમની અટકાયત કરી લેવાઈ હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments