તમિલનાડુના નવા મુખ્યમંત્રીના રૂપમા ઓ પનીરસેલ્વમે શપથ ગ્રહણ કરી લીધી. તેમને આ જવાબદારી સોંપવા પર કદાચ જ કોઈને પણ આશ્ચર્ય થયુ હોય. તેઓ પહેલા પણ બે વાર જયલલિતાના જેલ જવાની સ્થિતિમાં રાજ્યની કમાન સાચવી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે પનીરસેલ્વમ જયલલિતાના સૌથી વફાદાર સહયોગી માનવામાં આવી રહ્યા છે. 65 વર્ષના પનીરસેલ્વમના વિશે કેટલીક વાતો સત્તાની ગલિયોમાં લાંબા સમયથી સાંભળવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જેમ પનીરસેલ્વમે પણ ચા વેચી છે તેમના પિતા પણ પાર્ટીના વફાદાર હતા.
પનીરસેલ્વમના પિતા અન્નાદ્રમુકના સંસ્થાપક સ્વર્ગીય એમજી રામચંદ્રન માટે કામ કરતા હતા અને એમજીઆર ત્યારથી તેમના પર મહેરબાન હતા. અહી સુધી કે પનીરસેલ્વમના ભાઈ આજે પણ પેરિયાકુલમમાં ચા ની દુકાન ચલાવે છે. જો કે તેમનો પારિવારિક વ્યવસાય ખેતીવાડીનો છે. પનીરસેલ્વમ વિશે એવુ પણ કહેવાય છે કે ચા ની દુકાનમાંથી ફુરસત કાઢીને તેમણે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો અને આ વાત એમજીઆરને પણ ખબર હતી.