Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું બંધ થઇ જશે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા! SGPC એ કહ્યું- BAN કરો

Webdunia
રવિવાર, 8 જાન્યુઆરી 2023 (12:16 IST)
SAB ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ખરાબ સમાચાર છે. વિવાદને કારણે શો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. શીખ સમુદાય દયાબેન અને જેઠાલાલના શોનો વિરોધ કરી રહ્યો છે. તેણે આ શો પર ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.
 
ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC)ના ચીફ ક્રિપાલ સિંહ બડુંગરે એક નિવેદનમાં કહ્યું કે, આ શોએ શીખોની ધાર્મિક લાગણીઓને ભડકાવી છે. શીખ ગુરુ ગોવિંદ સિંહનું જીવંત સ્વરૂપ આ રીતે બતાવવું એ તેમનું અપમાન છે. આમ કરવું શીખ સિદ્ધાંતોની વિરુદ્ધ છે. કોઈ પણ અભિનેતા પોતાને ગુરુ ગોવિંદ સિંહ જેવો કેવી રીતે બતાવી શકે. આ ભૂલ માફીને પાત્ર નથી. એસજીપીસીના વડાએ શોના લેખક અને નિર્દેશકને કડક ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે આવી સામગ્રી ટીવી પર બતાવવામાં ન આવે.
 
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું પ્રસારણ 28 જુલાઈ 2008થી શરૂ થયું હતું. 9 વર્ષથી અત્યાર સુધી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. ટીઆરપીમાં તે ટોપ-10 શોમાં સ્થાન ધરાવે છે. શોના મુખ્ય પાત્ર દયા ભાભી અને જેઠાલાલની કેમેસ્ટ્રી દર્શકોને ગમે છે.
 
મામલો શું છે
તમને જણાવી દઈએ કે, તાજેતરના એપિસોડમાં, ગણપતિ પૂજા દરમિયાન, શોનો એક અભિનેતા શીખોના દસમા ગુરુ ગોવિંદ સિંહની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ એપિસોડ બાદ શીખ સમુદાય નારાજ છે. તે કહે છે કે કોઈ પણ જીવિત વ્યક્તિ ગુરુનું સ્વરૂપ કેવી રીતે ધારણ કરી શકે? હવે આ મામલે શું નવો વળાંક આવે છે તે જોવાનું રહેશે. જોકે, આ મામલો હજુ સુધી કોર્ટમાં ખેંચાયો નથી તે રાહતની વાત છે.
 
જો કે આ પહેલો શો નથી જેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હોય. આ પહેલા પણ સોનીના શો પેહરેદાર પિયા કીને તેના કન્ટેન્ટના કારણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ મામલામાં માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીને આ શો પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરવામાં આવી હતી. જે બાદ શોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રાઇમ ટાઇમ સ્લોટના અભાવે શોને ઓછી ટીઆરપીનો સામનો કરવો પડ્યો હતો. આખરે શોના નિર્માતાઓએ તેને બંધ કરવાનો નિર્ણય લીધો. હાલમાં એવા સમાચાર છે કે આ શો નવા કન્ટેન્ટ સાથે ફરી પાછો ફરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દરરોજ સવારે પીવો આ ઔષધીય પાણી, હ્રદય સંબંધિત રોગોનું જોખમ ઘટશે

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments