Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ છે નિફા વાયરસ (Nipah virus), જાણો તેના લક્ષણ અને બચવાના ઉપાય

Webdunia
સોમવાર, 21 મે 2018 (13:33 IST)
. કેરલના કોઝીકોડમાં સરકારે એક અજ્ઞાત ઈંફેક્શનન કારણે હાઈ એલર્ટ જાહેર કર્યુ છે.  જાણવા મળ્યુ છે કે આ રહસ્યમય મોત નિફા વાયરસ  (NiV)ના એટેકને કારણે થઈ રહ્યુ છે. જેને કારણે અત્યાર સુધી આઠ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  રવિવારે નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી, પુણે એ ત્રણ નમૂનામાં વાયરસની ઉપસ્થિતિની ચોખવટ કરી.  નિફા વાયરસ   (NiV)નું ઈંફેક્શન ક્યારેય મહામારી બનીને ફેલાય શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠણ (WHO) મુજબ નિફા વાયરસ (NiV) એક નવી ઉભરતી બીમારી છે જે જાનવરો અને મનુષ્યો બંને વચ્ચે ગંભીર બીમારીનુ કારણ બને છે.  નિફા વાયરસને નિફા વાયરસ એન્સેફલાઈટિસ પણ કહેવાય છે. 
 
નિફા વાયરસ (NiV) પહેલીવાર 1998માં મલેશિયા અને સિંગાપુરમાં ઓળખવામાં આવ્યો. જ્યારે આ ભૂંડ(સૂવર) અને મનુષ્યોમાં બીમારીનુ કારણ બન્યુ.  
શુ હોય છે નિફા વાયરસ (NiV)? અને કેવી રીતે ફેલાય છે  
 
નિફા વાયરસ મનુષ્યો અને જાનવરોમાં ફેલાનારી એક ગંભીર ઈંફેક્શન છે. આ વાયરસ એન્સેફલાઈટિસનુ કારણ બને છે. નિફા વાયરસ, હેંડ્રા વાયરસ સાથે સંબંધિત છે જે ઘોડા અને મનુષ્યોનો વાયરલ શ્વાસ સંક્રમણ સાથે સંબંધિત છે. આ ઈંફેક્શન ફ્રૂટ બેટ્સ દ્વારા લોકોમાં ફેલાય છે. 
ખજૂરની ખેતી કરનારા લોકો આ ઈંફેક્શનની ચપેટમાં જલ્દી આવે છે. 2004માં આ વાયરસને કારણે બાંગ્લાદેશ ખૂબ પ્રભાવિત થયુ હતુ.
નિફા વાયરસના(NiV) ના લક્ષણ 
 
મનુષ્યોમાં નિફા વાયરસ, encephalitis સાથે જોડાયેલ છે. જેને કારણે બ્રેનમાં સોજો આવી જાય છે.  તાવ, માથાનો દુખાવો, ચક્કર, માનસિક ભ્રમ, કોમા અને છેવટે મોત થવુ તેના લક્ષણોમાં સામેલ છે.  24-28 કલાકમાં જો લક્ષણ વધી જાય તો માણસ કોમામાં જઈ શકે છે.  કેટલાક કેસમાં રોગીને શ્વાસ સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. 
 
નિફા વાયરસની સારવાર ?
 
મનુષ્યોમાં નિફા વાયરસ ઠીક કરવાનુ એક માત્ર રીત છે યોગ્ય દેખરેખ. રિબાવાયરિન નામની દવા વાયરસ વિરુદ્ધ પ્રભાવી થઈ છે.  જો કે રિબાવાયરિનની નૈદાનિક પ્રભાવકારીતા માનવ પરીક્ષણમાં આજ સુધી અનિશ્ચિત છે.  દુર્ભાગ્યવશ મનુષ્યો અને જાનવરો માટે કોઈ વિશિષ્ટ એનઆઈવી ઉપચાર કે ટીકો નથી  
 
નિફા વાયરસના ઈંફેક્શનથી કેવી રીતે બચશો ?
 
આ વાયરસ એક માણસથી બીજા માણસમાં ફેલાય છે. તેને રોકવા માટે સંક્રમિત રોગીથી છેટા રહો.  સ્વાસ્થ્ય કર્મચારીઓને હોસ્પિટલમાં નિફા વાયરસથી બચવા માટે સંક્રમિત દર્દીઓની દેખરેખ કરતી વખતે કે પ્રયોગશાળાના નમૂના સાચવવા અને જમા કરતી વખતે યોગ્ય સાવધાની રાખવી જોઈએ.  એટલુ જ નહી બીમાર ભૂંડ અને ચામાચીડિયોના સંપર્કમાં આવતા બચો. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments