Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રેન ફરીથી અકસ્માતનો ભોગ બની; પંજાબ મેલમાં નાસભાગ મચી, લોકો જીવ બચાવવા ચાલતી ટ્રેન માંથી કૂદી પડ્યા

Webdunia
રવિવાર, 11 ઑગસ્ટ 2024 (15:41 IST)
Uttar Pradesh Shahjahanpur Train Accident: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં આજે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. 50ની સ્પીડે દોડતી પંજાબ મેલ એક્સપ્રેસમાં અચાનક ચીસો સંભળાઈ. આખી ટ્રેનમાં નાસભાગ મચી ગઈ હતી અને મુસાફરો ચાલતી ટ્રેનમાંથી કૂદવા લાગ્યા હતા.ટ્રેનને તરત જ રોકી દેવામાં આવી હતી અને પાયલટોએ મુસાફરોને અરાજકતાનું કારણ પૂછ્યું હતું. મુસાફરોએ કહ્યું કે ટ્રેનમાં આગ લાગી છે.આ સાંભળ્યા બાદ આખી ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી, પરંતુ 
 
તપાસમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. તેમજ કોઈપણ કોચમાં આગ લાગવાની કોઈ પુષ્ટી થઈ નથી. અકસ્માતની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતા જ શાહજહાંપુર પોલીસ સ્ટેશન અને 
ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલવે અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ મુસાફરોને શાહજહાંપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અફવા કોણે ફેલાવી તે અંગે તપાસ ચાલી રહી છે.
 
નદી પરનો પુલ ક્રોસ કરતી વખતે અકસ્માત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે સવારે 8 વાગ્યાની આસપાસ બરેલી અને કટરા સ્ટેશન વચ્ચે આ અકસ્માત થયો હતો. તે સમયે ટ્રેન નદી પરના પુલ પર હતી. જ્યારે ચીસો શરૂ થઈ ત્યારે અડધી ટ્રેન બ્રિજ પર હતી અને અડધી ટ્રેન ટનલની અંદર હતી. ટ્રેન નંબર 13006 હાવડાથી અમૃતસર જઈ રહી હતી. સૌ પ્રથમ તો જનરલ કોચમાં અરાજકતા જોવા મળી હતી. પાયલોટે ટ્રેન રોકી અને પહેલા ગભરાયેલા મુસાફરોને સંભાળ્યા અને પછી બધાએ મળીને બોગી ખાલી કરી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ફસાઈ, બચાવ કામગીરી બે વખત નિષ્ફળ

સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી પણ લપસી, તમારા શહેરના નવા ભાવ તરત જ ચેક કરો

મોદી કેમ ઈચ્છે છે વન નેશન-વન ઇલેક્શન ? આ કેવી રીતે કામ કરશે? શું હશે તેની રૂપરેખા, જાણો તેના ફાયદા અને નુકશાન

ગુજરાતને મળી 20 નવી વોલ્વો બસ, એરક્રાફટ, સબમરીન જેવી સુવિધાઓ મળશે

રાહુલ ગાંધીને આતંકવાદી કહેવા પર હોબાળો, કોંગ્રેસીઓ રસ્તા પર ઉતરી આવ્યા

આગળનો લેખ
Show comments