Webdunia - Bharat's app for daily news and videos

Install App

Unnao Case - કેવી રીતે થયા 3 છોકરીઓના મોત ? પરિવારે CBI તપાસની કરી માંગણી

Webdunia
ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (12:41 IST)
ઉત્તરપ્રદેશના ઉન્નાવ જીલ્લાની ઘટનાએ એક વાર ફરીથી સૌને શર્મશાર કરી નાખ્યા છે. જીલ્લાના અસોહા થાના ક્ષેત્રના બબુરહા ગામમાં બુધવારે રાત્રે ત્રણ સગીર દલિત યુવતીઓ ખેતરમાં દુપટ્ટાથી બાંધેલી પડી મળી.  તેમા બે યુવતીઓના મોત થઈ ચુક્યા હતા. જ્યારે કે ત્રીજી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહી છે. તેને વેંટીલેટર પર મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચારો લેવા માટે ત્રણ સગીર યુવતીઓ ખેતરમાં ગઈ હતી. યુવતીઓના ચાચાને કોઈએ સૂચના આપી કે ત્રણેય છોકરીઓ ખેતરમાં પડી છે. ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યા બે ને ડોક્ટરોએ મૃત જાહેર કરી. 
 
બીજી બાજુ ત્રીજીન હાલત નાજુક છે. તેની સારવાર કાનપુરના રીજેંસી હોસ્પિટલમાં ચાલી રહી છે. છોકરીઓના ગામમાં તનાવ છે. સાવધાની રૂપે ગામના પોલીસ ફોર્સ ગામમાં ગોઠવાયેલા છે. આ સાથે 19 વધારાના અધિકારીઓ, 70 ચીફ કોન્સ્ટેબલ, 30 સૈનિકો તૈનાત કરાયા હતા. પીડિતાની માતાના કહેવા મુજબ છોકરીઓના મોઢામાંથી ફેસ નીકળી રહ્યો હતો. પોલીસ 6 ટીમો બનાવીને મામલાની તપાસ કરી રહી છે. બીજી બાજુ પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી છે. 
 
 સાથે જ પીડિત ગામમાં ઘણા લોકો ધરણા પર બેઠા છે. તેમની સાથે હાજર એસપી કાર્યકરો ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. પરિવારને ન્યાય આપવામાં આવે. લોકોનો આરોપ છે કે પરિવારને કોઈને મળવા દેવામાં નથી આવી રહ્યો. જો કે ઉન્નવ પોલીસે ટ્વીટ કરીને આ બધા આરોપોને નકાર્યા છે. 
 
શુ છે આખો મામલો 
 
અસોહા થનાઅ ક્ષેત્રના હેઠળ ગ્રામ પંચાયત પાઠકપુરના બબુરહામાં ગઈકાલે બપોરે 3 વાગે ત્રણ સગીર છોકરીઓ ખેતરમાં પશુઓ માટે લીલુ ઘાસ લેવા ગઈ હતી. પણ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરી. સાંજે પરિવારના લોકો છોકરીઓને શોધવા માટે નીકળ્યા.  પરિવારના કહેવા મુજબ ખેતરમાં ત્રણેય છોકરીઓ કપડાથી બાંધેલ અધમરેલી હાલત મળી હતી. 
 
ત્રણેય કિશોરીઓને પરિવારે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર અસોહા પર લાવવામાં આવી. જ્યા ડોક્ટરોએ બે ને મૃત જાહેર કર્યા અને એકને કાનપુરની હૈલટ હોસ્પિટલમાં રેફર કરી જ્યા હાલતમાં સુધાર ન હોવાથી કાનપુરન અએક ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરી. 
 
 
એક યુવતીના ભાઈએ જણાવ્યું કે ત્રણેય કઝીન છે. ભાઈએ કહ્યું કે જો તેઓ લાંબા સમય સુધી પાછા નહીં આવે તો અમે ખેતરોમાં શોધવા ગયા, તો ઘાણીના ખેતરમાં બાંધેલી પડેલી જોવા મલી. 2 નુ મોત થયુ અને એકની સારવાર ચાલી રહી છે. ભાઈએ કોઈની સાથે દુશ્મનીની વાત નકારી હતી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

આગળનો લેખ
Show comments