rashifal-2026

Breaking: ઉદ્ધવ ઠાકરે એ મુખ્યમંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ, મહારાષ્ટ્ર સંકટ પર મોટા સમાચાર

Webdunia
બુધવાર, 29 જૂન 2022 (22:30 IST)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરી પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે  ઉદ્ધવ ઠાકરે એ રાજ્યપાલને રાજીનામાનો લેટર સોંપ્યો. રાજ્યપાલે તે સ્વીકાર કરી ઈધો છે. આ પહેલા તેમણે ફેસબુક લાઈવમાં કહ્યુ હતુ કે મને આમા જવુ જ નહોતુ તેથી હુ તેથી હુ વિધાન પરિષદની સદસ્યતામાંથી પણ રાજીનામ આપી રહ્યો છુ. તેમણે કહ્યુ મને આ વાતનુ કોઈ દુખ નથી કે હુ રાજીનામુ આપી રહ્યો છુ. ઉદ્ધવે કહ્યુ કે મને આ બધામાં આવુ જ નહોતુ, તેથી હુ મુખ્યમંત્રી આવાસને પહેલા જ છોડી દીધુ. તેમણે કહ્યુ કે આવતીકાથી હુ શિવસેના ઓફિસમાં જઈશ. 
મને  અશોક ચવ્હાણે કહ્યું, જો કોઈ સમસ્યા હોય તો અમે MVAમાંથી બહાર આવીએ છીએ
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું અણધાર્યો આવ્યો હતો અને અનપેક્ષિત રીતે જઈ રહ્યો છું. મતલબ કે હું કાયમ માટે નથી જતો, હું અહીં રહીશ અને ફરી શિવસેના ભવનમાં બેસીશ, મારા બધા લોકોને ભેગા કરીશ. તેમણે કહ્યું કે, આજે કેબિનેટ સમાપ્ત થયા પછી અશોક ચવ્હાણે મને કહ્યું કે અમે તમારી સાથે છીએ, જો કોઈ સમસ્યા હોય તો અમે મહા વિકાસ અઘાડીની બહાર જઈશું અને તમને બહારથી સમર્થન આપીશું, પરંતુ મેં કહ્યું ના આવુ થતુ નથી. 
 
કોંગ્રેસ-એનસીપીનો આભાર
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી, મને સંતોષ છે કે બાળાસાહેબ ઠાકરેએ જે શહેરોના નામ રાખ્યા હતા, ઔરંગાબાદનું નામ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારશિવ રાખ્યું હતું, આજે અમે તેમને સત્તાવાર રીતે તે નામો આપ્યા છે. તેમણે કહ્યું, હું એનસીપી અને કોંગ્રેસના લોકોનો આભાર માનું છું કે તેઓએ મને સમર્થન આપ્યું. આજે ઠરાવ પસાર થયો ત્યારે માત્ર હું, અનિલ પરબ, સુભાષ દેસાઈ અને શિવસેનાના આદિત્ય આ ચાર લોકો હાજર હતા.
 
મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધુ તેજ
મુખ્યમંત્રીના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હોટલમાં કોર કમિટીની બેઠક યોજી રહ્યા છે. રાજીનામા બાદ મહારાષ્ટ્રના અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું કે, મુખ્યમંત્રીએ પહેલા રાજીનામું આપી દેવું જોઈતું હતું. તેની પકડેલી મુઠ્ઠીમાં જે શક્તિ હતી તે પણ ગઈ છે. હનુમાન ચાલીસાનું અપમાન કરનારાઓને હનુમાન ભક્તોએ પાઠ ભણાવ્યો છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને. અમે બધા પણ તેમની સાથે ઉભા છીએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments