Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીનગરમાં સુરક્ષાબળો સાથે મુઠભેડમાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ

Webdunia
બુધવાર, 17 ઑક્ટોબર 2018 (09:00 IST)
જમ્મુ કાશ્મીરમાં બુધવારની સવારે એકવાર ફરીથી સુરક્ષાબળો સાથે આતંકવાદીઓની મુઠભેડ થઈ ગઈ. શ્રીનગરના ફતેહ કાદલ વિસ્તારમાં થયેલ આ મુઠભેડમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા જ્યારે કે પોલીસનો એક જવાન શહીદ થઈ ગયો. 
 
શ્રીનગરના એસએસપી ઈમ્તિયાજ ઈસ્માઈલ પરેં એ જણાવ્યુ - આ મુઠભેડમાં ત્રણ આતંકી માર્યા ગયા જ્યારે કે એક પોલીસ કર્મચારી શહીદ થયો 
 
ઉલ્લેખનીય છે કે સુરક્ષાબળોની સતર્કતાને કારણે સતત ચાલતા આતંકદીઓના નાપાક ઈરાદા નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા મુઠભેડ દરમિયાન અનેક આતંકવાદીઓ માર્યા જવાના સમાચાર છે. 
 
અથડામણ આજે સવારે શરૂ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન છુપાઈને બેઠેલા આતંકીઓએ સુરક્ષાબળો પર ગોળીબાર કરતા અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં લશ્કરનો ટોચનો કમાંડર પણ શામેલ હતો. માનવામાં આવે છે કે આ આતંકીઓને સુરક્ષા બળો ઘણા સમયથી શોધી રહ્યાં હતાં. આખરે તેઓ હાથ લાગતા તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ અથડામણમાં એક પોલીસકર્મી પણ શહીદ થયો છે. તેવી જ રીતે અર્ધસૈનિક બળના ત્રણ જવાનો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળે છે.
 
શ્રીનગરના ફતેહ કદાલ વિસ્તારમાં આ અથડામણ ચાલી રહી છે. સુરક્ષા બળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ અથડામણ હજી થોડો સમય યથાવત રહે તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments