Festival Posters

'આપ' ના નેતા કુમાર વિશ્વાસ બોલ્યા - સર્જીકલ સ્ટ્રાઈક પર મોદીને નિશાન પર લીધા, તેથી હાર્યા

Webdunia
શુક્રવાર, 28 એપ્રિલ 2017 (15:54 IST)
દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલી હાર પછી આમ આદમી પાર્ટીની અંદરનો ઝગડો હવે સામે આવી ગયો છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓના રાજીનામા વચ્ચે મનીષ સિસોદિયાના બાળપણના મિત્ર અને પાર્ટીના વરિષ્ઠ નેતા અને કવિ કુમાર વિશ્વાસે પાર્ટીની રણનીતિ પર જ સવાલ ઉભો કર્યો છે. 
 
કુમાર વિશ્વાસે કહ્યુ છે કે સર્જિકલ સ્ટ્રાઈકના મુદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાનો પાર્ટીનો નિર્ણય ખોટો હતો. તેમને એ પણ કહ્યુ કે પંજાબ અને દિલ્હી એમસીડીના ચૂંટણીમાં ખોટી રીતે લોકોને ટિકિટ આપવામાં આવી. પંજાબમાં તો કોંગ્રેસ અને અકાલી દળને જ ટિકિટ આપવામાં આવી હતી. 
 
કુમાર વિશ્વાસે કહ્યુ છે કે પાર્ટીની અંદર અનેક ખોટા નિર્ણયો થયા. અનેક નિર્ણયો તો બંધ રૂમમાં પણ લેવાયા. કુમારે કહ્યુ કે હાર પછી ઈવીએમને નિશાન બનાવીને પાર્ટીએ વધુ એક મોટી ભૂલ કરી. આ એક મુદ્દો હોઈ શકે છે પણ હારનું મુખ્ય કારણ એ  હતુ કે અમે લોકો અને કાર્યકર્તાઓથી દૂર થઈ ગયા હતા. 
 
દિલ્હી એમસીડી ચૂંટણી પર વિશ્વાસે કહ્યુ કે ગોપાલ રાયને દિલ્હીના ઈનચાર્જ બનાવ્યા હતા પણ ચૂંટણીના મુદ્દા પર તેમની સાથે કોઈ વાતચીત ન કરવામાં આવી.  ફક્ત પીએસી દરમિયાન કેટલાક નિર્દેશ આપવામાં આવ્યા હતા. વિશ્વાસે કહ્યુ કે પાર્ટીમાં ફેરફારની જરૂર છે.  તેમણે કહ્યુ કે આ પાર્ટીની છઠ્ઠી હાર છે. અમે હાર પર બહાના ન બનાવીને તેની સમીક્ષા કરવી જોઈએ. 
 
કુમાર વિશ્વાસે કહ્યુ કે નેતૃત્વ પરિવર્તન પર પાર્ટી મીટિંગમાં નિર્ણય કરશે. તેમણે કહ્યુ કે સંજય સિંહ, દુર્ગેશ પાઠક નુ રાજીનામુ આપવુ ખૂબ મોડા લીધેલી એક્શન હતી.  વિશ્વાસે કહ્યુ કે અમે લોકો જંતર-મંતર પર કોંગ્રેસ, મોદી કે ઈવીએમ વિરુદ્ધ લડવા માટે બેસ્યા નહોતા. 
 
અરવિંદ કેજરીવાલના નિકટના મંત્રી કપિલ મિશ્રાએ પાર્ટી નેતાઓને આત્મચિંતનની સલાહ આપી છે. તો તેમના અનેક નિકટના નેતાઓ પર તલવાર ચલાવવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે એમસીડીની 270 સીટો માઠી આમ આદમી પાર્ટીને માત્ર 48 સીટો મળી હતી. ભાજપા અને કોંગ્રેસને ક્રમશ 181 અને 30 સીટો મળી હતી. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

ભારતી સિંહ બીજીવાર બની મા, હર્ષ લિમ્બાચિયાની સાથે પુત્રનુ કર્યુ સ્વાગત, લાફ્ટરશેફ્સ ટીમે વહેંચી મીઠાઈ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

આગળનો લેખ
Show comments