Webdunia - Bharat's app for daily news and videos

Install App

NIAને આંચકો, સુપ્રીમ કોર્ટે સુધા ભારદ્વાજની જામીન સામેની અરજી ફગાવી

Webdunia
મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (15:19 IST)
સુપ્રીમ કોર્ટે છત્તીસગઢનાં જાણીતા સામાજિક કાર્યકર્તા અને વકીલ સુધા ભારદ્વાજની જામીનને પડકારતી એનઆઈએની અરજીને ફગાવી દીધી છે. બુધવારે બોમ્બે હાઈકોર્ટે 2018 ના ભીમા કોરેગાંવ હિંસા કેસમાં સુધા ભારદ્વાજને જામીન આપ્યા હતા.
 
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની ખંડપીઠે બૉમ્બે હાઈકોર્ટમાંથી સુધા ભારદ્વાજને આપવામાં આવેલા ડિફોલ્ટ જામીનને રદ કરવાનો ઇનકાર કરતાં કહ્યું, "ભારદ્વાજને જામીન આપવાના હાઈકોર્ટના આદેશમાં કોઈ ગરબડ નથી."
 
હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે એનઆઈએ તેની જામીનની શરતો 8 ડિસેમ્બરે નક્કી કરશે, ત્યારબાદ જ તે જેલમાંથી બહાર આવી શકશે.
 
સુધા ભારદ્વાજને ગયા અઠવાડિયે ડિફોલ્ટ જામીન મળ્યા હતા, જેનો અર્થ છે કે એનઆઈએ કાયદા દ્વારા નિર્ધારિત સમયની અંદર સુધા ભારદ્વાજ સામે આરોપનામું દાખલ ન કરી શકી એટલે તેમને કોર્ટે જામીન આપી દીધા.
 
ભીમા કોરેગાંવ હિંસા કેસમાં 28 ઑગસ્ટ 2018ના રોજ સુધા ભારદ્વાજની ધરપકડ કરવામાં આવી હતી.
 
તેમના પર માઓવાદીઓને મદદ કરવાનો આરોપ હતો.
 
તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી જેલમાં છે.
 
2018ના ભીમા કોરેગાંવ હિંસા કેસમાં, સુધા ભારદ્વાજ ઉપરાંત, વરવરા રાવ, સોમા સેન, સુધીર ધાવલે, રૉના વિલ્સન, ઍડવોકેટ સુરેન્દ્ર ગાડલિંગ, મહેશ રાઉત, વરનોન ગૉન્સાલ્વિસ અને અરુણ ફરેરા દ્વારા પણ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
 
પરંતુ કોર્ટે સુધા ભારદ્વાજ સિવાયના અન્ય લોકોની જામીન ફગાવી દીધી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments