rashifal-2026

મોદીએ જેનું ઉદ્ધાટન કર્યું હતું તે શિવાજીની મૂર્તિ આઠ મહિનાની અંદર જ તૂટી પડી

Webdunia
મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (13:49 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ મહિના પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લામાં જે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિનું લોકાર્પણ કર્યું હતું એ તૂટી પડતા વિવાદ સર્જાયો છે.
 
4 ડિસેમ્બર 2023ના રોજ ‘નેવી ડે’ના અવસરે નરેન્દ્ર મોદીએ આ મૂર્તિનું લોકાર્પણ કર્યું હતું.
 
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે ભારતીય નેવીએ આ પ્રતિમા બનાવી હતી. પવનના કારણે તે પડી ગઈ. તેમણે વધુમાં જણાવ્યું કે શક્ય તેટલી વહેલી તકે નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.
 
નેવી ડે નિમિત્તે 'બહાદુરીને સલામ'ના પ્રતિક તરીકે આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. આ મૂર્તિ તૂટી પડવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
 
ઘટના બાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ધારાસભ્ય વૈભવ નાઈકે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે.
 
તેમણે આ ઘટનાની તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
 
શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે મૂર્તિ પડી જવાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
 
જયંત પાટીલે જણાવ્યું કે, "આ ઘટના ખૂબ જ ગંભીર છે. મહારાજની મૂર્તિ સ્થાપિત કરતી વખતે સાવચેતી રાખવામાં આવી ન હતી. આ સરકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે જ મૂર્તિ સ્થાપિત કરવા માંગતી 
 
હતી."
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

ગુજરાતી જોક્સ - ટીવી પર મેચ

ગુજરાતી જોક્સ - ઊંઘ નથી આવતી

ગુજરાતી જોક્સ - સગાંવહાલાં

ગુજરાતી જોક્સ - બીજા લોકો

આગળનો લેખ
Show comments