Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sehore Borewell Rescue - અનેક પ્રયાસો છતા ન બચી શકી સિહોરની સૃષ્ટિ, 51 કલાક ચાલ્યુ રેસ્ક્યુ, દમ ઘૂંટવાથી માસુમનો ગયો જીવ

Webdunia
ગુરુવાર, 8 જૂન 2023 (18:54 IST)
મધ્યપ્રદેશના સીહોરમાં બોરવેલમાં પડેલી અઢી વર્ષની બાળકી સૃષ્ટિને બચાવવા 51 કલાકનુ રેસ્ક્યુ નિષ્ફળ રહ્યુ.  બાળકીને બોરવેલમાંથી કાઢીને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યા જાણ થઈ કે દમ ઘૂંટાઈ જવાથી તેનુ મોત પહેલા જ થઈ ચુક્યુ છે.  ઉલ્લેખનીય છે કે સીહોરના ગ્રામ મુંગાવલીમાં છેલ્લા 51 કલાકથી સૃષ્ટિ નામની બાળકીનુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ હતુ.  આ રેસ્ક્યુ ઓપરેશનમાં જીલ્લા પ્રશાસનની ટીમો ઉપરાંત  SDERF, NDRF અને આર્મીના જવાન્નો પણ કામમા લાગ્યા હતા. બોરવેલમાંથી કાઢ્યા બાદ સુષ્ટિને તરત જ સીહોર જીલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. 

<

#WATCH | Sehore, Madhya Pradesh: The 2.5-year-old girl who fell into a borewell while playing in the field in Mungaoli village of Sehore district has been rescued in an unconscious state.#MadhyaPradesh pic.twitter.com/YKEhN236ef

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 8, 2023 >
 
રોબોટિક એક્સપર્ટ્સની ટીમ પણ થઈ સામેલ 
 
ઉલ્લેખની છે કે ગુરુવારે ત્રીજા દિવસે રોબોટિક નિષ્ણાતોની ટીમે પણ સૃષ્ટિને બચાવવા માટે ચાલી રહેલા અભિયાનમાં ભાગ લીધો હતો. આજે રેસ્ક્યુ ઓપરેશનનો ત્રીજો દિવસ હતો અને બાળકીને બોરવેલમાં પાઈપ દ્વારા ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૃષ્ટિ પહેલા લગભગ 40 ફૂટની ઊંચાઈએ ફસાઈ ગઈ હતી અને બાદમાં તે નીચે લપસી ગઈ હતી અને લગભગ 100 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગઈ હતી. મંગળવારે બપોરે 1 વાગ્યાની આસપાસ તે બોરવેલમાં પડી હતી અને ત્યારથી તેને બચાવવાના પ્રયાસો ચાલુ હતા.
 
સીએમ સતત કામગીરી પર રાખી રહ્યા હતા નજર  
સૈન્યની એક ટીમ પણ સૃષ્ટિના બચાવ કામગીરીમાં રોકાયેલી હતી જ્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર ઈમરજન્સી રિસ્પોન્સ ફોર્સ (SDERF) ની ટીમો પહેલેથી જ કામમાં સામેલ છે. આ ઉપરાંત 12 અર્થમૂવિંગ અને પોકલેન મશીન પણ બચાવ કામગીરીમાં રોકાયેલા છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને અધિકારીઓની એક ટીમ પણ બચાવ કામગીરીની દેખરેખ માટે જિલ્લા અધિકારીઓના સંપર્કમાં હતી. 

સુપ્રીમ કોર્ટે જાહેર કરી હતી માર્ગદર્શિકા 
2009માં સર્વોચ્ચ અદાલતે ખુલ્લા છોડવામાં આવેલા બોરવેલમાં પડતા બાળકોના જીવલેણ અકસ્માતોને રોકવા માટે માર્ગદર્શિકા બહાર પાડી હતી. 2010માં કોર્ટ દ્વારા જારી કરાયેલ સુધારેલી માર્ગદર્શિકામાં બાંધકામ દરમિયાન કૂવાની ફરતે કાંટાળા તારની ફેન્સીંગ લગાવવી, બોરવેલ ઉપર બોલ્ટ સાથે સ્ટીલ પ્લેટ કવરનો ઉપયોગ કરવો અને બોરવેલને નીચેથી જમીનના સ્તર સુધી ભરવાનો સમાવેશ થાય છે. જો કે, આ દિશાનિર્દેશો છતાં, લોકો બેદરકારી દાખવે છે અને તેના કારણે જ અવાર નવાર એક યા બીજા બાળકના બોરવેલમાં પડી જવાના સમાચારો સામે આવે છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments