Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી પર મુંબઈમાં ધારા 144 લાગૂ, પંડાલોમાં ભક્તોની એંટ્રી પર રોક

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (22:39 IST)
કોરોના વાયરસની બીજી લહેર હજુ ખતમ થઈ નથી. આ દરમિયાન તહેવારોની ઋતુ પણ શરૂ થવાની છે. આવામાં કોરોનાથી બચવુ મુશ્કેલ બની શકે છે. જેને ધ્યાનમાં રાખતા સમગ્ર મુંબઈમાં 10થી 19 સપ્ટેમ્બરની વચ્ચે સીઆરપીસીની ધારા 144 લાગૂ કરવામાં આવી છે.  ગુરૂવારે રજુ આદેશ મુજબ તહેવાર દરમિયાન આખા શહેરમાં પાંચ કે વધુ લોકોના એકત્ર થવા પર રોક રહેશે. 
 
ઈંડિયા ટુડેની રિપોર્ટ મુજબ અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે ગણેશ ચતુર્થી દરમિયાન ભક્તોને ભગવાનના મંડપમાં જવાની મંજૂરી નહી મળે. ગણેશ ચતુર્થી દરમિયાન ગણેશજીના સ્ટેજ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. આ સાથે, એક આદેશ પણ રજુ કરવામાં આવ્યો છે કે મુંબઈમાં કોઈ મોટી સભાઓનુ આયોજન નહીં થાય.
 
રાજ્યના ગૃહ વિભાગ વતી કહેવામાં આવ્યું હતું કે પંડાલમાંથી માત્ર ઓનલાઈન દર્શનની જ મંજૂરી આપવામાં આવશે. અગાઉ, ગૃહ વિભાગે એક પરિપત્રમાં કહ્યું હતું કે તહેવાર દરમિયાન સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. નવા પરિપત્રમાં જણાવાયું છે કે લોકોને ગણેશ પંડાલોમાં આવવા દેવામાં આવશે નહીં.
 
મુંબઈમાં બુધવારે કોરોના વાયરસના સંક્રમણના 530 નવા કેસ સામે આવ્યા હતા. નાયબ પોલીસ કમિશનર એસ ચૈતન્ય તરફથી રજુ આદેશમાં ગૃહ વિભાગ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશોનો હવાલો આપવામાં આવ્યો. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments