સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 24 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછની મુલાકાત લેશે. તેઓ પાકિસ્તાન દ્વારા સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારમાં માર્યા ગયેલા નાગરિકોના પરિવારોને મળશે.
<
Congress MP and Lok Sabha LoP Rahul Gandhi to visit Poonch, J&K, on May 24. He will be visiting the families of civilians killed in cross-border shelling by Pakistan: Sources
— ANI (@ANI) May 22, 2025
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ પીડિત પરિવારોને મળશે. પહેલગામ હુમલા પછી રાહુલ ગાંધીની જમ્મુ અને કાશ્મીરની આ બીજી મુલાકાત છે. આ પહેલા પણ તેઓ 25 એપ્રિલે ખીણમાં ગયા હતા અને કહ્યું હતું કે આપણે આતંકવાદ સામે એક થવું જોઈએ.
આ હુમલો 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયો હતો. આ હુમલા પછી પણ રાહુલ ગાંધી જમ્મુ અને કાશ્મીર ગયા હતા. આ પછી, હવે તેઓ પૂંછમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર બાદ ફરી એકવાર આ વિસ્તારની મુલાકાત લેવાના છે.