Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર બંધારણને લઈને આક્ષેપ કર્યા.

Webdunia
સોમવાર, 24 જૂન 2024 (18:13 IST)
રાહુલ ગાંધીએ કહ્યું કે "નરેન્દ્ર મોદી અને તેમની સરકાર બંધારણ પર હુમલો કરવા ઇચ્છે છે, પરંતુ અમે તે થવા નહીં દઈએ."
 
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, "એનડીએ સરકારના પહેલા 15 દિવસોમાં ભયંકર ટ્રેન દુર્ઘટના, કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ, ટ્રેનોમાં પ્રવાસીઓની દુર્દશા, નીટ ગોટાળો, નીટ પીજીનું પેપર રદ, યૂજીસી નેટનું પેપર લીક, આગથી સળગતાં જંગલો, જળ સંકટ અને હીટવેવમાં વ્યવસ્થા ન હોવાને કારણે મૃત્યુ થયાં છે."
 
"નરેન્દ્ર મોદી બૅકફુટ પર છે અને પોતાની સરકાર બચાવવામાં વ્યસત છે. નરેન્દ્ર મોદીજી અને તેમની સરકારનો બંધારણ પર હુમલો અમને સ્વીકાર્ય નથી. અમે તે કોઈ પણ કાળે થવા નહીં દઈએ. ઇન્ડિયાનો મજબૂત વિપક્ષ દબાણ બનાવી રાખશે, લોકોનો અવાજ ઉઠાવશે અને વડા પ્રધાનને પોતાની જવાબદારીમાંથી બચીને નીકળવા દેશે નહીં."
 
"ઇન્ડિયા ગઠબંધન"ના સંસદસભ્યોએ 18મી લોકસભાના પહેલા સત્ર દરમિયાન સંસદ પ્રાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગઠબંધનના સંસદસભ્યો બંધારણનું પુસ્તક લઈને સંસદ પહોંચ્યા હતા.
 
કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, "વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી અને વડા પ્રધાન મોદી બંધારણ બદલશે નહીં."
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments