Webdunia - Bharat's app for daily news and videos

Install App

Punjab Congress Crisis: બે કલાક પછી ખતમ થઈ નવજોત સિંહ સિદ્ધુ-સીએમ ચન્નીની મહત્વની બેઠક, અનેક વાતો પર હજુ વાંધો

Webdunia
ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (19:53 IST)
પંજાબ(Punjab)માં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ઘમાસાન ચરમસીમાએ છે. જોકે, કોંગ્રેસમાં ઉભા થયેલા સંકટને દૂર કરવાના પ્રયાસો ચાલુ છે. આ પ્રયાસો હેઠળ નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક ગુરુવારે પંજાબ ભવનમાં થઈ હતી. બેઠકમાં નવજોત સિંહ સિદ્ધુ, મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, સુપરવાઇઝર હરીશ ચૌધરી, કાર્યકારી પ્રમુખ કુલજીત નાગરી, મંત્રી પરગટ સિંહ એ ભાગ લીધો હતો.  જો કે, આ બેઠક હોવા છતાં, ઘણા મુદ્દાઓ પર સર્વસંમતિના અભાવના સમાચાર સામે આવી રહ્યા છે.
 
સૂત્રોનુ માનીએ તો નવજોત સિંહ સિદ્ધુ અને સીએમ ચરણજીત સિંહ ચન્નીની બેઠકમાં ઘણા મુદ્દાઓ પર સહમતી થઈ નથી. નવજોત સિંહ સિદ્ધુ એડવોકેટ જનરલ અને ડીજીપીને હટાવવા પર અડગ છે. ચન્નીએ જણાવ્યું હતું કે સિદ્ધુને વાંધો છે તેવા કેસો પર વિશેષ વકીલની નિમણૂક કરી શકાય છે, પરંતુ એડવોકેટ જનરલને હટાવવામાં આવશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધુ અને ચન્ની જે મુદ્દાઓ પર સહમત ન હતા, હવે હાઈકમાન્ડ તે મુદ્દાઓ પર નિર્ણય કરશે.

રાજભવનમાં બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. સૂત્રો એમ પણ કહે છે કે બંને નેતાઓ વચ્ચે ઘણા મુદ્દાઓ પર સમજૂતી થઈ છે. બીજી બાજુ, પંજાબમાં રાજકીય ઉથલપાથલ પર પંજાબ રાજ્યના પ્રભારી હરીશ રાવતે કહ્યું કે ટૂંક સમયમાં બધું ઉકેલાઈ જશે. આ વસ્તુઓ પરિવારમાં થાય છે. હરીશ રાવતે કહ્યું કે સમય વસ્તુઓને હલ કરે છે અને પરિવારની અંદર દરેક વસ્તુને ઉકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે.
 
મોટા નિર્ણયો માટે ત્રણ સભ્યોની સમિતિની રચના 
 
સૂત્રોના કહેવા મુજબ ત્રણ સભ્યોની સમિતિ રચવામાં આવશે જેમાં મુખ્ય નિર્ણયો લેવા માટે મુખ્યમંત્રી ચન્ની, નવજોત સિંહ સિદ્ધુ અને હરીશ ચૌધરીનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય, કોંગ્રેસ હાઇકમાન્ડને લૂપમાં રાખવામાં આવશે.
 
સીએમ ચન્નીએ ફોન કરીને કર્યા હતા વાતચીત આમંત્રિત 
 
ઉલ્લેખનીય છે કે ચરણજીત સિંહ ચન્નીએ સિદ્ધુને ફોન કરીને વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું. ચર્ચા માટે મુખ્યમંત્રીનું આમંત્રણ સ્વીકાર્યા બાદ સિદ્ધુ પંજાબ રાજ ભવન પહોંચ્યા હતા. અગાઉ, કોંગ્રેસે બુધવારે તેમના કેન્દ્રીય નિરીક્ષક હરીશ ચૌધરીને પક્ષના નેતાઓ સાથે વાત કરવા અને સંકટના ઉકેલ માટે ચંદીગઢ મોકલ્યા હતા, પરંતુ સિદ્ધુ ચંદીગઢ આવ્યા ન હતા. તેમણે પોતના નિકટના મિત્રોની સલાહ પર ધ્યાન આપ્યું નહીં અને રાજીનામું પાછું ખેંચ્યું નહીં.
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments