Biodata Maker

અમિત શાહને પ્રશાંત કિશોરનો પડકાર, વિરોધની પરવા નહી તો આગળ વધો અને CAA-NRC લાગુ કરો

Webdunia
બુધવાર, 22 જાન્યુઆરી 2020 (11:35 IST)
નાગરિકતા સંશોશન કાયદા અને એનઆરસી વિરુદ્ધ સતત અવાજ ઉઠાવનારા જદયુ નેતા પ્રશાંત કિશોરે ગૃહ મંત્રી અમિત સહહને તેને લાગુ કરવાનો પડકાર આપ્યો છે. પ્રશાંત કિશોરે અમિત શાહને પડકાર આપતા કહ્યુ કે જો તમે નાગરિકતા કાયદા અને એનઆરસી વિરુદ્ધ વિરોધ કરનારાઓની ચિંતા નથી કરી રહ્યા તો પછી કેમ આગળ નથી વધતા અને તેને લાગૂ કરવાની કોશિશ કરો છો ? ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પ્રશાંત કિશોર એનઆરસી અને સીએએ ને લઈને વાજ ઉઠાવી ચુક્યા છે. 
 
જદયુ ઉપાધ્યક્ષ અને રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે બુધવારે ટ્વીટ કરી ગૃહ મંત્રી અમિત શાહ પર હુમલો બોલ્યો. પ્રશાંત કિસોહ્રે ટ્વીટ કર્યુ, નાગરિકોની અસહમતિને રદ્દ કરવી કોઈ પણ સરકારની તાકતનો સંકેત નથી હોઈ શકતો. અમિત શાહ જી જો તમે નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીનો વિરોધ કરનારાઓની પરવા નથી કરતા તો તમે આ કાયદા પર આગળ કેમ નથી વધતા ? તમે સીએએ અને એનઆરસીને એ જ ક્રોનોલોજીમાં લાગૂ કરવાનો પ્રયાસ કરો જે તમે રાષ્ટ્ર માટે આટલી મોટી જાહેરાત કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરનુ આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે એક દિવસ પહેલા લખનૌમાં નાગરિકતા સંશોધન કાયદાના પક્ષમાં અમિત શાહે દોહરાવ્યુ હતુ કે જેને વિરોધ કરવો છે તે કરે. પણ અમે નાગરિકતા કાયદાને પરત નહી લઈએ.  તેમણે કહ્યુ કે અમે પ્રદર્શન વચ્ચે જનમ્યા છે. પ્રદર્શનો વચ્ચે જ મોટા થયા છે. વિપક્ષમાં જ્યારે હતા ત્યારે એ જ કહ્યુ હતુ અને હવે સત્તામાં છીએ તો એ જ કહી રહ્યા છીએ. 
 
લખનૌમાં અમિત શાહે શુ કહ્યુ હતુ 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નાગરિકતા સશોધન કાયદાનો વિરોધ કરી રહેલા વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા મંગળવારે તેમણે પડકાર આપ્યો કે જેને વિરોધ કરવો છે તે કરે પણ સીએએ પરત નથી લેવાના.  શાહે સીએએના સમર્થનમાં રાજધાનીના બગ્લાબાજાર સ્થિત કથા પાર્કમાં આયોજીત વિશાળ જનસભામાં કહ્યુ, આ બિલને લોકસભામાં મેં રજુ કર્યુ છે. હુ વિપક્ષીઓને કહેવા માંગુ છુ કે તમે આ  બિલ પર સાર્વજનિક રૂપથી ચર્ચા કરી લો. જો આ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની નાગરિકતા લઈ શકે છે તો તેને સાબિત કરીને બતાવો. દેશમાં સીએએના વિરુદ્ધ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. રમખાણો કરવામાં આવી રહ્યા છે. સીએએમાં ક્યાય પણ નાગરિકતા લેવાની કોઈ જોગવાઈ નથી. તેમા નાગરિકતા આપવાની જોગવાઈ છે. હુ આજ સાર્વજનિક રૂપે કહેવા આવ્યો છુ કે જેને વિરોધ કરવો છે તે કરે. સીએએ પરત નહી લેવામાં આવે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

આગળનો લેખ
Show comments