Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lockdown Return? આ ગામે બતાવી સમજદારી, ઓમિક્રોનના સંકટને જોતા લાગૂ કર્યુ Voluntary લોકડાઉન

Webdunia
ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (17:36 IST)
ઓમિક્રોનના મામલા દેશમાં સતત વધી રહ્યા છે. 300 ના નિકટ પહોચી ચુકેલો સંક્રમિત દર્દીઓનો આંકડો હજુ પણ ફુલ સ્પીડમાં વધી રહ્યો છે.  તેલંગાનામાં પણ ઓમિક્રોન દર્દીઓની સંખ્યા 38 થઈ ગઈ છે. આ દરમિયાન તેલંગાનાના જ એક ગામે ઓમિક્રોન સંકટ વચ્ચે સ્વેચ્છાથી લોકડાઉન લગાવી દીધુ છે. આ કોઈ સરકારી ફરમાન નથી, પણ ગામની ગ્રામ પંચાયતે સાવધાની રાખતા આ નિર્ણય લીધો છે. 
 
માહિતી આપવામાં આવી છે કે Gudem ગામમાં એક વ્યક્તિ ખાડી દેશમાંથી પરત ફર્યો હતો. તેની રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવી. પછી બતાવાયુ કે આ વ્યક્તિ ઓમિક્રોન વૈરિએંટથી સંકમિત છે. આ કારણે અધિકારીઓએ ગામમાં પહોંચીને 64 લોકોના સૈપલ એકત્ર કર્યા છે. આ બધા એ લોકો છે જે ડાયરેક્ટ સંક્રમિત દર્દીઓ સાથે જોડાયા હતા. હાલ માટે સંક્રમિતની માતા પણ પોઝિટિવ આવી છે. પણ  તેમને ઓમિક્રોન નથી એવી માહિતી મળી છે. 
 
પરંતુ ઓમિક્રોન બીજા વૈરિએંટથી વધુ સંક્રામક છે આવામાં ગામની ગ્રામ પંચાયતે 10 દિવસનુ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.  હવે દસ દિવસ સુધી બધા ગામના લોકો ઘરની અંદર જ કેદ  રહેશે.  આમ તો ગામમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે. પણ સમગ્ર તેલંગાનામાં  પણ ઓમિક્રોનના મામલા ઝડપથી વધી રહ્યા છે. 
 
દેશમાં ઓમિક્રિન મીટરની વાત કરીએ તો અત્યાર સુધી 287 કેસ આવી ચુક્યા છે. ગઈકાલે કોરોના મામલામાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. અને 400થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્સપર્ટે ચેતાવણી આપી છે કે જાન્યુઆરીમાં કેસ વધી શકે છે અને ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર પણ આવી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments