Dharma Sangrah

નોટબંધી - જૂની નોટને બેંકમાં જમા કરાવવા પર સરકારનો મોટો નિર્ણય

Webdunia
સોમવાર, 19 ડિસેમ્બર 2016 (14:02 IST)
500 રૂપિયા અને 1000 રૂપિયાના જૂના નોટને બેંકમાં જમા કરાવવાની લઈને રિઝર્વ બેંક ઓફ ઈંડિયા (આરબીઆઈ)એ નવી શરત મુકી દીધી છે. હવે  જૂના નોટમાં 5000 રૂપિયાથી વધુની રકમ 30 ડિસેમ્બર સુધી એક ખાતામાં ફક્ત એકવાર જમા કરાવી શકો છો. જેના ખાતામાં પૈસા જમા થઈ રહ્યા છે તેમણે બેંકને એ પણ બતાવવુ પડશે કે આ રકમ અત્યાર સુધી જમા કેમ નહોતી કરવામાં આવી. બેંક તેના જવાબથી સંતુષ્ટ હશે ત્યારે રકમ જમા કરવામાં આવશે. 
 
રિઝર્વ બેંક દ્વારા આજે રજુ અધિસૂચનામાં કહેવામાં આવ્યુ છે કે આજથી 30 ડિસેમ્બર સુધી એકવારમાં કે અઠવાડિયામાં 5 હજાર રૂપિયાથી વધુ મૂલ્યના પ્રતિબંધિત નોટ જમાકર્તાને પૂછપરછ પછી જ તેના ખાતામાં જમા કરાવી શકાશે. પૂછપરછ વખતે બેંકમાં ઓછામાં ઓછા બે અધિકારીએ હાજર રહેશે અને સમગ્ર પૂછપરછ ઑન રેકોર્ડ રહેશે. જમાકર્તાને એ પણ બતાડવુ પડશે કે તેંણે જૂના નોટ આ અગાઉ જમા કેમ ન કરાવ્યા. તેનો જવાબ સંતોષજનક હશે તો જ બેંક જમા સ્વીકાર કરશે. 
 
બેંકોને કહેવામાં આવ્યુ છે કે ભવિષ્યમાં ઑડિટને ધ્યાનમાં રાખતા જમાકર્તાના જવાબનો રેકોર્ડ રાખવામાં આવે. કેન્દ્રીય બેકિંગ પ્રણાલીમાં તેના ખાતા સાથે આ  આશયનો સંકેટક સંલગ્ન કરી દેવામાં આવે.  સાથે જ એ પણ કહેવામાં આવ્યુ છે કે કોઈપણ વ્યક્તિ હવે પાંચ હજાર રૂપિયાથી કધુ રકમ એક જ વાર બેંકમાં જમા કરાવી શકશે. પાંચ હજાર રૂપિયા સુધી જમા કરાવવા પર પ્રતિબંધ નહી રહે. પણ જુદા જુદા હપ્તામાં જમા કરાવેલ રકમનુ કુલ મૂલ્ય જેવુ જ પાંચ હજાર રૂપિયાથે વધુ હશે એ ખાતામાં આગળ કોઈ રાશિ જમા નહી કરાવી શકાય. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

આગળનો લેખ
Show comments