Webdunia - Bharat's app for daily news and videos

Install App

કનાડા આવવાનુ કારણ ન બતાવતા AAP ના બે ધારાસભ્યોને એયરપોર્ટ પરથી પાછા મોકલ્યા

Webdunia
સોમવાર, 23 જુલાઈ 2018 (12:24 IST)
આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યોને કનાડામાં આવવાનુ યોગ્ય કારણ ન બતાવી શકતા  એયરપોર્ટ પરથી જ ભારત પરત મોકલી દીધા. કોટકપુરાથી ધારાસભ્ય કુલતાર સિંહ સંધવા અને રોપડથી ધારાસભ્ય અમરજીત સિંહ સંદોઆ પર્સનલ વિઝિટ માટે કનાડા ગયા હતા. રાજધાની ઓટાવાના ઈંટરનેશનલ એયરપોર્ટ પર પહેલા તેમની પૂછપરછ માટે રોકવામાં આવ્યા.   ત્યાર બાદ તેમની પુછપરછ બાદ બંનેને ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતાં.
 
કુલતાર સિંહ સંધવા કોટકપુરા અને અમરજીત રોપડ બેઠક પરથી ધારાસભ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંને ધારાસભ્યો હોલીડે ટ્રિપ પર કેનેડા ગયાં હતાં. પરંતુ જેવા જ બંને ઓટાવા એરપોર્ટ પર ઉતર્યા પોલીસે તેમને અટકાયતમાં લીધા હતાં.
 
ત્યાર બાદ બંને નેતાઓની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે તેમને તરત જ છોડી મુકવામાં આવ્યાં હતાં. જોકે તેમને કેનેડામાં પ્રવેસવા દેવામાં આવ્યા ન હતાં. બંને ધારાસભ્યો આજે ભારત પરત ફરશે. જોકે બંને ધારાસભ્યો સાથે આમ કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.
 
ઉલ્લેખનીય છે કે, બંને ધારાસભ્યો છેલ્લા ઘણા સમયથી અનેક કારણોસર ચર્ચામાં રહ્યાં છે. AAP ધારાસભ્ય અમરજીત સિંહ પર ઉત્પીડનનો કેસ ચાલી રહ્યો છે. આ ઉપરાંત પણ બંને ધારારભ્યોના નામ માફિયાઓ સાથે જોડાયેલા રહ્યાં છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments