Webdunia - Bharat's app for daily news and videos

Install App

નીટ પરીક્ષા: ગ્રેસ માર્કસ મેળવનારા 750 વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપવા માટે ન આવ્યા

Webdunia
સોમવાર, 24 જૂન 2024 (16:24 IST)
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની માહિતી પ્રમાણે, ગ્રેસ માર્કસ મેળવનાર 1563 વિદ્યાર્થીઓમાંથી માત્ર 813 વિદ્યાર્થીઓએ જ ફરીથી નીટની પરીક્ષા આપી હતી. 750 વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપવા માટે આવ્યા ન હતા.
 
સુપ્રીમ કોર્ટે એનટીએને ગ્રેસ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવા માટે આદેશ કર્યો હતો.
 
સાત કેન્દ્રો પર રવિવારે આ વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરાયું હતું.
 
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, એનટીએના અધિકારીઓએ જણાવ્યું કે જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ મળ્યા હતા તેમાંથી 813 વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપવા માટે આવ્યા હતા.
 
રવિવારે પરીક્ષા કેન્દ્ર પર પોલીસ ઉપરાંત પરીક્ષકોને તહેનાત કરવામાં આવ્યા હતા.
 
આ વર્ષે નીટની પરીક્ષામાં 23 લાખથી વધારે વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. જોકે, 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્કસ મળતા નીટની પરીક્ષા પર સવાલો ઊઠી રહ્યા હતા.
 
એનટીએએ ગ્રેસ માર્કર મેળવનારા વિદ્યાર્થીઓનો સ્કોર ઘટાડી દીધો હતો અને તેમને ફરીથી પરીક્ષા આપવાનો મોકો આપવામાં આવ્યો હતો.
 
બિહારમાં પોલીસે નીટનું પેપર લીક થવાની તપાસ પણ કરી રહી છે. આ દરમિયાન સીબીઆઈએ નીટ પરિક્ષામાં થયેલા ગોટાળાને લઈને એક એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
 
વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા ફરીથી કરાવાની માંગણી કરી રહ્યા છે. વિપક્ષ પણ નીટ પરિક્ષામાં થયેલા કથિત ગોટાળાના મુદ્દાને ઉઠાવી રહ્યો છે.
 
આ ઘટના સાત ઑક્ટોબર 2023ના દિવસે ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા સંઘર્ષ પછી ઘટી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments