Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાગપુરમાં આવી ગઈ છે કોરોનાની ત્રીજી લહેર, 3-4 દિવસમાં લાગશે લૉકડાઉન - મંત્રી નિતિન રાઉત

Webdunia
મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (13:20 IST)
ખૂબ મોટા સમાચાર છે, મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona in Maharashtra) ના દરવાજે આવીને ઉભુ થઈ ગયુ છે. જાણવા મળ્યુ છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચુકી છે. કોરોનાની ત્રીજી લહેર નાગપુરમાં પ્રવેશી ચુકી છે. આશંકા બતાવી છે કે નાગપુરથી થઈને આ મહારાષ્ટ્રમાં ઝડપથી ફેલાય શકે છે.  વધતા કોરોનાના સંક્રમણને જોતા નાગપુરમાં ફરી એક વખત લોકડાઉન(Lockdown in Nagpur) લાગવા જઈ રહ્યુ છે. નાગપુરમાં ફરી એક વખત લોકડાઉન થવા જઈ રહ્યું છે. આ માહિતી મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી (Mahavikas Aghadi) સરકારમાં કેબિનેટ મંત્રી નીતિન રાઉતે (Nitin Raut, Cabinet Minister of Maharashtra) પોતે આપી છે.
 
ઉલ્લેખનીય છે કે નીતિન રાઉત નાગપુરના ગાર્ડિયન મિનિસ્ટર પણ છે. તેઓ પોતે જ આ સ્વીકારી રહ્યા છે કે નાગપુરમાં  કોરોનાની ત્રીજી લહેર આવી ચુકી છે. આવી સ્થિતિમાં નાગપુરથી આગળ વધતા તેને રોકવી જ પડશે. તેથી 3-4 દિવસમાં નાગપુરમાં લોકડાઉન લગાવવાનો નિર્ણય થવાનો છે. 
 
નાગપુરમાં લોકડાઉન લગાવવાનો નિર્ણય 3-4 દિવસમાં- નીતિન રાઉત
 
કેબિનેટ મંત્રી નીતિન રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્ર કોરોનાના ત્રીજા લહેરના દરવાજે ઉભું છે. તેમણે નાગપુરમાં કોરોનાની ત્રીજી લહેરના પ્રવેશને સ્વીકાર્યો છે. તેમણે ફરી એકવાર નાગપુરમાં લોકડાઉન લાદવાની વાત કરી છે. નીતિન રાઉતે કહ્યું છે કે નાગપુરમાં લોકડાઉન લગાવવા સંબંધિત નિર્ણય 3-4 દિવસમાં લેવામાં આવશે. મંત્રી નીતિન રાઉતે કહ્યું કે તેઓ ત્રણ-ચાર દિવસમાં આ વાત પર વિચાર કરશે કે નવા કોરોના સંક્રમિત દર્દીઓના કેટલા કેસ આવે છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ(Corona in Maharashtra) ફરી એક વખત ઝડપથી વધવા લાગ્યું છે. ખાસ કરીને નાગપુરમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે.
 
 નાગપુરમાં ત્રીજી લહેરનો સામનો કરવા માટે અમે ગંભીર -  નીતિન રાઉત
 
નીતિન રાઉતે કહ્યું કે પરિસ્થિતિની ગંભીરતાને જોતા નાગપુરમાં ઓછામાં ઓછું વીકેન્ડ લોકડાઉન લાવવું જરૂરી  છે. આ માટે તેઓ આગામી 3-4 દિવસ સુધી પરિસ્થિતિ પર નજર રાખશે. દરમિયાન  તેઓ વેપારીઓ, દુકાનદારો અને વિવિધ વિસ્તારોના લોકો સાથે વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ સાથે ચર્ચા કરશે. તેમજ મીડિયા સાથે વાત કરશે. દરેકના અભિપ્રાય જાણ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. પરંતુ નિર્ણય ત્રણ-ચાર દિવસમાં લેવો નિશ્ચિત છે. આવી સ્થિતિમાં વીક ડેઝમાં ફરી એકવાર રેસ્ટોરન્ટ સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી ખોલવાનો આદેશ આવી શકે છે. દુકાનોની સમયમર્યાદા પણ ઘટાડી શકાય છે અને વીકેંડમાં કંમ્પીટ  લોકડાઉન પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
 
નાગપુરમાં કોરોનાની આ છે સ્થિતિ, તેથી લોકડાઉનની જરૂરી 
 
છેલ્લા કેટલાક મહિનાઓથી નાગપુરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક અંકમાં આવી રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ સંખ્યા બે આંકડામાં આવવા લાગી છે. ચિંતા વધારવાનું આ સૌથી મહત્વનું કારણ છે. આને ધ્યાનમાં રાખીને નીતિન રાઉતે આજે વિભાગીય કમિશનરો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ પછી, મીડિયા સાથે વાત કરતી વખતે, તેમણે લોકડાઉન લાદવાની વાત કરી.

કેટલાક સૈપલ તપાસ માટે મોકલ્યા છે, તેમા કેટલા ડેલ્ટા પ્લસ છે એ જાણવુ જરૂરી 
 
નીતિન રાઉતે કહ્યું કે કેટલાક સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમા ડેલ્ટા પ્લસ છે શુ ? આ જાણ્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. પરંતુ અગાઉની ભૂલનું પુનરાવર્તન નહી કરવામાં આવે. તરત જ એક્શનમાં આવીશુ

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments