Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈમાં ઓરીનો કેર, 233 કેસ અને 12 મૃત્યુ નોંધાયાં

Webdunia
ગુરુવાર, 24 નવેમ્બર 2022 (18:26 IST)
મહારાષ્ટ્રના મુંબઈમાં ઓરીના કેસ વધી રહ્યા છે. શહેરમાં ઓરીના 13 નવા કેસ નોંધાયા છે અને એકનું મૃત્યુ થયું છે.
 
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) અનુસાર, આ વર્ષે અત્યાર સુધી ઓરીના કુલ 233 કેસ સામે આવ્યા છે અને કુલ 12 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
બીએમસીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “બુધવારે લગભગ ઓરીના 30 દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે 22 દર્દીને સાજા થયા બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.”
 
બીએમસીના સર્વેમાં ઓરીના 156 કેસ મળી આવ્યા છે. આ બીમારીની ચપેટમાં બાળકો વધુ આવી રહ્યાં છે.
 
મુંબઈ નજીક ભીવંડીમાં રહેતા આઠ મહિનાના ઓરીથી પીડિત બાળકનું મંગળવારે મૃત્યુ થયું હતું.
 
20 નવેમ્બરે બાળકના શરીર પર ચકામાં પડવાનું શરૂ થયું હતું. મંગળવાર સાંજે તેને બીએમસી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા જ કલાકોમાં બાળકનું મૃત્યુ થયું હતું. જોકે તપાસ બાદ જ મૃત્યુનું કારણ જાણી શકાશે.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments