Webdunia - Bharat's app for daily news and videos

Install App

યોગી સરકારનો મોટો નિર્ણય, મથુરા-વૃંદાવનન 10 કિમી વિસ્તાર તીર્થ સ્થળ જાહેર

Webdunia
શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (17:29 IST)
યુપીની યોગી સરકારે મથુરા અને વૃંદાવનમાં 10 કિમીના વિસ્તારને તીર્થ સ્થળ તરીકે જાહેર કર્યો છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાનને કેન્દ્રમાં રાખીને 10 કિમી ચોરસ મીટર વિસ્તારને તીર્થ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. હવે આ વિસ્તારમાં માંસ અને દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ વિસ્તારમાં મહાનગરપાલિકાના 22 વોર્ડ છે જેને તીર્થધામ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. યોગી સરકાર તીર્થસ્થળોના વિકાસના કાર્યમાં સતત વ્યસ્ત છે. અયોધ્યા, વારાણસી, મથુરામાં સુવિધાઓમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.
 
આ પહેલા સીએમ યોગી જન્માષ્ટમીના દિવસે મથુરા આવ્યા હતા અને કહ્યું હતું કે મથુરાના વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ, બરસાના, ગોકુલ, મહાવન અને બલદેવમાં ટૂંક સમયમાં માંસ અને દારૂનું વેચાણ બંધ થશે. આ કાર્ય કરીને પોતાનુ ગુજરાન ચલાવનારા લોકોને અન્ય વ્યવસાયોમાં સહાય કરવામાં આવશે. મથુરામાં કૃષ્ણ ઉત્સવ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે અહીનો ભૌતિક વિકાસ થાય પણ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસઓ પણ બચાવી રાખવાનો છે, કારણ કે આ જ દેશવાસીઓની ઓળખ છે.
 
યુપીમાં સરકાર બનતા જ યોગી સરકારે તીર્થ સ્થળ જાહેર કરવાની કવાયત શરૂ કરી દીધી હતી. ઓક્ટોબર 2017 માં કૃષ્ણનું શહેર વૃંદાવન અને રાધાનું જન્મસ્થળ બરસાનાને તીર્થ સ્થળ તરીકે જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમામ સાત સ્થળોને તીર્થસ્થળો તરીકે જાહેર કરવામાં આવશે. વૃંદાવનમાં દર વર્ષે 1.5 કરોડ અને  બરસાનામાં 60 લાખ શ્રદ્ધાળુઓ પહોંચે છે.

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments