Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબા સિદ્દીકીની હત્યા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે.

Webdunia
રવિવાર, 13 ઑક્ટોબર 2024 (10:14 IST)
Baba Siddique- લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ સાંસદ અન એનસીપી(અજીત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા પર શોક અને સંવેદના વ્યક્ત કરી છે.
 
રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું, “બાબા સિદ્દીકીજીનું દુ:ખદ નિધન સ્તબ્ધ કરનારું અને દુ:ખદ છે. આ કઠણ સમયમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.”
 
તેમણે લખ્યું, “આ ભયાવહ ઘટના મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની પૂર્ણ વિફલતાને ઉજાગર કરે છે. સરકારે જવાબદારી લેવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ.”
 
ઉલ્લેખનીય છે કે અજિત પવારની આગેવાની હેઠળના પક્ષ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
 
શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા પૂર્વમાં તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ગંભીર હાલતમાં લીલાવતી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
 
આ ઘટના પછી થોડી જ વારમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ પ્રેસ કૉન્ફરન્સમાં બાબા સિદ્દીકીના નિધનની પુષ્ટિ કરી હતી.
 
મુખ્ય મંત્રી શિંદેએ જણાવ્યું હતું કે આ મામલામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એક વ્યક્તિ ફરાર છે. જેની ધરપકડ થઈ એમાંથી એક વ્યક્તિ હરિયાણાનો અને એક ઉત્તર પ્રદેશનો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બાબા સિદ્દીકીની હત્યાના 2 આરોપીઓની ધરપકડ, કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થશે, જાણો આ કેસમાં અત્યાર સુધી શું થયું?

NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા, અજિત પવારે આપ્યું મોટું નિવેદન

જામનગરના રાજવી પરિવારનો આગામી ઉત્તરાધિકારી બનશે પૂર્વ ક્રિકેટર અજય જાડેજા, જાણો આ વંશનો ઈતિહાસ, આટલા કરોડોની સંપત્તિ

Happy Dussehra 2024 Wishes Images Quotes: દશેરા શુભેચ્છા સંદેશ

વિજયાદશમીના દિવસે આ 7માંથી કરી લો કોઈ એક ઉપાય, મનોકામના થશે પૂરી, દેવી લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ

આગળનો લેખ
Show comments