Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોલકતા રેપ અને મર્ડર કેસ : પીડિતાના પિતા અને હૉસ્પિટલ તંત્ર વચ્ચેની વાતચીતનો ઑડિયો વાઇરલ થયો

Webdunia
શુક્રવાર, 30 ઑગસ્ટ 2024 (15:08 IST)
કોલકતાની આર. જી. કર કૉલેજ અને હૉસ્પિટલના અધિકારીઓ અને પીડિતાના પરિવારના સભ્યો વચ્ચે ફોન કૉલ્સની ઑડિયો રેકૉર્ડિંગ સામે આવતા મહિલા તબીબ સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં વિવાદ વધી ગયો છે.
 
ગુરુવારે સોશિયલ મીડિયા પર રેકૉર્ડિંગ વાયરલ થઈ હતી જે બાદ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે હૉસ્પિટલના અધિકારીઓએ ન માત્ર ‘ખોટી માહિતી’ આપી પરંતુ તેમનો વ્યવહાર પણ ‘અસવંદેનશીલ’ હતું.
 
સોશિયલ મીડિયામાં ત્રણ ઑડિયો ક્લિપ્સ વાઇરલ થઈ છે, જેમાં એક ક્લિપ 71 સેકન્ડની છે, બીજી ક્લિપ 46 સેકન્ડની અને ત્રીજી 28 સેકન્ડની છે. કેટલીક ખાનગી ન્યૂઝ ચેનલો પણ આ ઑડિયો રેકૉર્ડિંગ ચલાવી રહી છે.
 
હૉસ્પિટલમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ તરીકેની ઓળખ આપીને એક મહિલાએ આ ત્રણેય ફોન કૉલ પીડિતાના પિતાને કર્યા હતા.
 
તેમણે કહ્યું કે, "આ ઑડિયો ક્લિપ્સથી પુરવાર થાય છે કે અમે ક્યારેય શરૂઆતમાં એવું કહ્યું નથી કે આત્મહત્યાના કારણે મહિલા તબીબનું મૃત્યુ થયું છે. આ ક્લિપસથી એ પણ સાબિત થાય છે કે અમે ક્યારેય નથી કહ્યું કે આ આત્મહત્યાનો મામલો છે."
 
પીડિતાના પરિવારજનોએ અગાઉ જણાવ્યું હતું કે નવ ઑગસ્ટના રોજ હૉસ્પિટલમાંથી ત્રણ વખત ફોન આવ્યા બાદ તેઓ ત્યાં પહોચ્યા હતા. બેડશીટ બદલવા બાબતે વિવાદ દરમિયાન ગુરુવારે પરિવારજનોએ દીકરીના મૃતદેહને જે ચાદરથી ઢાંકવામાં આવ્યો હતો તેના રંગ વિશે વાત કરી હતી.
 
ડેપ્યુટી કમિશનર ઇન્દિરા મુખરજીએ ગુરુવારે મીડિયાને જણાવ્યું, "સોશિયલ મીડિયામાં અમુક વીડિયો ક્લીપ વાઇરલ થઈ છે અને કેટલીક ટેલિવિઝન ચેનલોમાં મૃતદેહને જે ચાદરથી ઢાંકવામાં આવ્યો હતો તેના રંગને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલાં ચાદરનો રંગ વાદળી હતો અને ત્યારબાદ અલગ રંગની ચાદર હતી."
 
તેમણે કહ્યું, "અમે તે દિવસે બપોરે 12:25 વાગ્યે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરાવી હતી. હું કહી શકું છું કે ચાદરનો રંગ વાદળી હતો."
"કેટલાક લોકો દાવો કરે છે કે ચાદરનો રંગ લીલો અથવા બીજું કંઈક હોઈ શકે છે, પરંતુ એવું નથી. અમે આ તમામ રેકૉર્ડ સીબીઆઈને સોંપી દીધો છે."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments