Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલ અને બીટીપીના છોટુ વસાવા આદિવાસી રેલીનું સંબોધન કરશે

Webdunia
બુધવાર, 27 એપ્રિલ 2022 (11:56 IST)
આમ આદમી પાર્ટી (આપ)ના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ના સ્થાપક છોટુ વસાવા 1 મે એટલે કે ગુજરાતના સ્થાપનાદિવસના રોજ ભરૂચના વાલીયા નજીક એક આદિવાસી રેલીને સંબોધન કરશે.
 
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના સ્થાપનાદિવસ નિમિત્તે રાજ્યમાં આવશે. તેમની આ યાત્રા દરમિયાન તેઓ વસાવાને મળશે.
 
આ અંગે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, "કેજરીવાલ અને વસાવા આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધિત કરતાં પહેલાં આદિવાસીઓના મુદ્દાઓ અંગે ચર્ચા કરશે."
 
નોંધનીય છે કે બીટીપી ગુજરાતના આદિવાસી વિસ્તારમાં થોડાઘણા અંશે પકડ ધરાવે છે અને તેમની પાસે હાલ ગુજરાત વિધાનસભામાં બે બેઠકો પણ છે.
 
હવે જ્યારે રાજ્યમાં ચૂંટણી નજીક આવતી જઈ રહી છે ત્યારે આ બંને પક્ષો એકબીજા સાથે જોડાણ કરવા આકર્ષાઈ રહ્યા હોવાનું સૂત્રો જણાવે છે.
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments