Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોમ્મઈ એ લીધી કર્ણાટકના સીએમની શપથ, યેદિયુરપ્પાના પગે પડીને લીધા આશીર્વાદ, કહ્યુ - કામ આવશે અનુભવ

Webdunia
બુધવાર, 28 જુલાઈ 2021 (12:59 IST)
કર્ણાટકના 23માં મુખ્યમંત્રીના રૂપમાં બસવરાજ બોમ્મઈએ શપથ લીધી છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાનુ સ્થાન લેશે. શપથ લેતા પહેલા બસવરાજે કહ્યુ કે તેમને યેદિયુરપ્પાના લાંબા અનુભવનો ફાયદો મળશે. આટલુ જ નહી શપથ લીધા પછી બોમ્મઈએ યેદિયુરપ્પાના પગે પડીને તેમના આશીર્વાદ લીધા  બે દિવસ પહેલા જ બીજેપીની સ્ટેટ યૂનિટ અને સરકારમાં ખેંચતાણ વચ્ચે બીએસ યેદિયુરપ્પાએ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. જો કે તેમના રાજીનામાનુ એક કારણ તેમની વય પણ બતાવાઈ રહી છે. બીએસ યેદિયુરપ્પાના નિકટના કહેવાતા બોમ્મઈને સીએમ બનાવીને પૂર્વ સીએમ અને લિંગાયત સમુહ બંનેને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. બોમ્મઈ પણ એ જ લિંગાયત સમુહમાંથી આવે છે, જેની સાથે યેદિયુરપ્પાનુ રિલેશન હતુ. 

<

Basavaraj Bommai sworn-in as the new Chief Minister of Karnataka pic.twitter.com/4RPPysdQBa

— ANI (@ANI) July 28, 2021 >
 
28 જાન્યુઆરી 1960ના રોજ જન્મેલા બસવરાજ સોમપ્પા બોમ્મઇ કર્ણાટકના ગૃહ, કાયદા, સંસદીય બાબતોના મંત્રી છે. તેમના પિતા એસઆર બોમ્મઇ રાજ્યના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક, બસવરાજે જનતા દળથી રાજકારણની શરૂઆત કરી હતી. 1998 અને 2004માં તેઓ બેવાર ધારવાડથી કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયા હતા. એના પછી તેઓ જનતા દળ છોડીને 2008માં ભાજપમાં જોડાયા હતા. એ જ વર્ષે, તેઓ હાવેરી જિલ્લાના શિગગાંવથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

આગળનો લેખ
Show comments