rashifal-2026

Jawad Cyclone : ભારતના માથે વાવાઝોડાનું સંકટ, ગુજરાતને શું અસર થશે?

Webdunia
ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (08:17 IST)
બંગાળની ખાડીમાં બની રહેલા લો પ્રૅશરના કારણે ફરી એક વખત વાવાઝોડાનું સંકટ મંડારાઈ રહ્યું છે. આની અસર ગુજરાતમાં પણ વર્તાશે, તેવી આગાહી હવામાનવિભાગે કરી છે.
 
હવામાનવિભાગની આગાહી પ્રમાણે મંગળવારની રાતથી અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં છુટોછવાયો વરસાદ શરૂ થયો હતો.
 
આજે બુધવારે સવારથી રાજ્યભરમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વરસાદને પગલે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
 
નવા વાવાઝોડાનું નામ 'જવાદ' હશે, આ નામ સાઉદી અરેબિયા દ્વારા સૂચવવામાં આવ્યું છે.
 
વાવાઝોડાની આવશ્યકતાઓને પહોંચી વળવા ચેતવણી જારી કરવામાં આવી છે.
 
જવાદ વાવાઝોડાનો ખતરો
 
હવામાનવિભાગની વેબસાઇટ પ્રમાણે, બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ પ્રેશરના કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશા પર ચક્રવાતી તોફાનનો ખતરો છે.
 
આ તોફાનને 'જવાદ' નામ આપવામાં આવ્યું છે. તોફાનની શરૂઆત આજે સવારે થાઈલૅન્ડ પાસે દરિયામાં થઈ હતી. જે ધીમે-ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે.
 
જવાદ વાવાઝોડું ચોથી ડિસેમ્બરે આંધ્ર પ્રદેશ અથવા તો ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. જેના કારણે બન્ને રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
 
જવાદ વાવાઝોડાથી ગુજરાતમાં વરસાદ?
 
ગુજરાતમાં પહેલી અને બીજી ડિસેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાનવિભાગે કરી છે.
 
ગુજરાત સિવાય મહારાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જે પ્રમાણે હાલમાં બન્ને રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
 
હવામાનવિભાગના જણાવ્યા પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે.
 
માવઠાને લઈને હવામાનવિભાગે ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત જગ્યાએ મૂકવાની અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું સૂરજની રોશનીથી ડાયાબીટીસ કંટ્રોલ થઈ શકે છે, જાણી લો Diabetes ને કંટ્રોલ કરવાની રીત

Hair Care: સફેદ વાળથી છો પરેશાન ? નારિયળ તેલમાં મિક્સ કરીને લગાવો આ એક વસ્તુ, વાળ થશે જડથી કાળા અને ઘટ્ટ

બાફેલા ઈંડાની સેન્ડવિચ કેવી રીતે બનાવવી?

Hindu Baby Girl Names DH letter: ભારતીય સંસ્કૃતિમાં, બાળકનું નામ ફક્ત એક ઓળખ જ નથી, પરંતુ તેના વ્યક્તિત્વ, મૂલ્યો અને ભવિષ્યનું પ્રતિબિંબ પણ છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં, જ્યોતિષ, મૂળાક્ષરો અને આધ્યા

1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો આમળા પાવડર, મળશે ફાયદા જ ફાયદા, બીમારીઓ રહેશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાન બન્યા સુરતનાં મેહમાન, એક ઝલક માટે ફેન્સની પડાપડી

રાજામૌલીની 'વારાણસી'ની રિલીઝ ડેટ થઈ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આગળનો લેખ
Show comments