Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય સૈનિકો દુર્વ્યવહારના આરોપો થયા હોવાના અહેવાલ

Webdunia
શુક્રવાર, 22 નવેમ્બર 2024 (15:28 IST)
ભારતીય સેનાએ કાશ્મીરના કિશ્તવાડમાં ઉગ્રવાદીઓ સામે અભિયાન હાથ ધર્યું હતું. એ સમયે સામાન્ય નાગરિકો સાથે દુર્વ્યવહાર થયા હોવાના અહેવાલ વહેતા થયા હતા.
 
ત્યારે બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીર જણાવે છે કે ભારતીય સેનાએ નાગરિકો સાથે દુર્વ્યવહારની તપાસના આદેશ આપ્યા છે.
 
ભારતીય સેનાની વ્હાઇટ નાઇટ કોરે ઍક્સ પર લખ્યું, "કિશ્તવાડ સૅક્ટરમાં ઉગ્રવાદીઓ હોવાની ગુપ્ત બાતમી મળી હતી. જેના આધારે તા. 20મી નવેમ્બર 2024ના રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું."
 
"કેટલાક રિપોર્ટ્સ મુજબ, ઑપરેશન દરમિયાન સામાન્ય નાગરિકો સાથે ગેરવ્યવહાર થયો હતો. આ મામલે તપાસ હાથ ધરાય રહી છે. જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ઉગ્રવાદીઓના આ જૂથ ઉપર નજર રાખવામાં આવી રહી છે."
 
કેટલાક મીડિયા રિપોર્ટ્સે આરોપ મૂક્યા હતા કે ભારતીય સેનાના અધિકારીઓએ કૌથ ગામના રહીશોને છાવણીમાં બોલાવીને તેમની સાથે ગેરવ્યવહાર કર્યો હતો.
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જમ્મુ ક્ષેત્રની ચિનાબ ઘાટીમાં ઉગ્રવાદની ઘટનાઓ વધી ગઈ છે. તાજેતરમાં ઉગ્રવાદીઓ અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક સૈન્યઅધિકારીનું મૃત્યુ થયું હતું તથા ત્રણ અન્ય ઘાયલ થયા હતા.
 
એ પહેલાં કિશ્તવાડમાં ઉગ્રવાદીઓએ વિલૅજ ડિફેન્સ ગાર્ડના બે સભ્યોના અપહરણ કરી લીધા હતા અને તેમની હત્યા કરી નાખી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments