Webdunia - Bharat's app for daily news and videos

Install App

સર્વે - મોદીની લોકપ્રિયતા હજુ પણ અકબંધ, જો હાલ ચૂંટણી થાય તો એનડીએને મળશે 360 સીટ અને યુપીએને માત્ર 60

Webdunia
શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (15:09 IST)
કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએ સરકારની રચનાને અઢી વર્ષ વીતી ચુકયા છે પણ હજુ તેની લોકપ્રિયતા અકબંધ છે. ઇન્ડિયા ટુડે ગ્રુપ અને કર્વીના સર્વે મુજબ જો હાલ લોકસભાની ચૂંટણી યોજાય તો એનડીએને 360 બેઠકો માટે મળે અને તે સત્તામાં પરત આવી શકે તેમ છે. યુપીએને 60 અને અન્યોને 123 બેઠકો મળવાનું અનુમાન છે. 19 રાજયોના 12143 લોકો પર કરાયેલા સર્વે મુજબ જો તત્કાલ ચૂંટણી યોજાય તો એનડીએને 4 2  ટકા, યુપીએને માત્ર 25 ટકા જ મતો મળી શકે તેમ છે.  જો કે યુપીએની સરખામણીમાં અન્ય પક્ષો મજબુતીથી ઉભરી રહ્યા છે. તેમને 33 ટકા મતો મળી શકે તેમ છે.
 
 પીએમ તરીકે મોદીના કામકાજો 69 ટકા લોકોએ વખાણ્યુ છે. 19 ટકાએ સરેરાશ અને 3 ટકાએ ખરાબ તથા 6 ટકાએ અત્યંત ખરાબ ગણાવ્યુ છે. જો કે એનડીએ સરકારના કામને 71 ટકા લોકોએ વખાણ્યુ છે. 97 સંસદીય અને 194 વિધાનસભા મતવિસ્તારોના સર્વેમાં પીએમ તરીકેના ઉમેદવારમાં મોદી જ શ્રેષ્ઠ વિકલ્પ તરીકે બહાર આવ્યા હતા.  પીએમ ઉમેદવાર તરીકે 6 5 ટકા લોકોએ પસંદ કર્યા હતા તો રાહુલને 10 ટકા અને સોનિયાને 4 ટકાએ પસંદ કર્યા હતા. મુલાયમને 1 ટકાએ પસંદ કર્યા હતા.
 
 
પીએમ મોદીને નોટબંધીના મામલે પણ સમર્થન મળ્યુ છે. 45 ટકા લોકોએ સમર્થન કરતા કહ્યુ છે કે, નોટબંધીથી કાળાનાણા પર લગામ આવશે. જયારે 35 ટકાએ નોટબંધીને અર્થતંત્ર માટે સારૂ ગણાવ્યુ છે. 7 ટકાએ કહ્યુ છે કે, આનાથી અર્થતંત્ર નબળુ પડશે. 7 ટકાએ ચૂંટણી ચાલ ગણાવ્યુ હતુ. 58 ટકાએ કહ્યુ છે કે અર્થતંત્ર મજબુત થશે તો 34 ટકાએ કહ્યુ છે કે અસર નહિ થાય. 26 ટકા લોકોએ જેટલીના, 21  ટકાએ સુષ્મા-રાજનાથના કામને વખાણ્યુ છે. પરિકરને 13 ટકા તથા 12 ટકા ઉમા ભારતીને સારા મંત્રી ગણે છે.  પીએમ મોદી વિરૂધ્ધ ત્રીજા વિકલ્પનું નેતૃત્વ કરવા 11 ટકાએ કેજરીવાલને, 10 ટકાએ નીતિશને પસંદ કર્યા હતા. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments