Webdunia - Bharat's app for daily news and videos

Install App

Namo@71: પીએમ મોદીના જન્મદિવસ પર ભારતે રચ્યો ઈતિહાસ, એક દિવસમાં રેકોર્ડ 2.5 કરોડથી વધુ વેક્સીનેશન

Webdunia
શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (08:33 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રસીકરણ અભિયાનને મોટુ પ્રોત્સાહન આપીને ભારતે શુક્રવારે કોવિડ -19 વેક્સીનના 2.5 કરોડથી વધુ ડોઝ આપીને ઇતિહાસ રચ્યો છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યુ કે ભારતને અભિનંદન. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભારતે આજે ઈતિહાસ રચ્યો છે. 2.50 કરોડથી વધુ વેક્સીન લગાવીને દેશ અને વિશ્વના ઇતિહાસમાં એક સ્વર્ણિમ અધ્યાય લખવામાં આવ્યો છે. આજનો દિવસ હેલ્થ કર્મચારીઓના નામે રહ્યો. 
<

Congratulations india!

PM @NarendraModi जी के जन्मदिवस पर भारत ने आज इतिहास रच दिया है।

2.50 करोड़ से अधिक टीके लगा कर देश और विश्व के इतिहास में स्वर्णिम अध्याय लिखा है।

आज का दिन हेल्थकर्मियों के नाम रहा। #HealthArmyZindabad pic.twitter.com/F2EC5byMdt

— Mansukh Mandaviya (@mansukhmandviya) September 17, 2021 >
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંચાલિત કોરોનાના મેગા વેક્સીનેશન  કાર્યક્રમ હેઠળ રસીકરણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે એટલે કે 17 સપ્ટેમ્બરે 2 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. અગાઉ, બપોરે 1.30 સુધીમાં, દેશભરમાં રસીકરણની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ગયો. સાથે જ  બપોરે 2.30 સુધીમાં, આ આંકડો 1.25 કરોડને પાર કરી ગયો છે. બપોરે 3.30 સુધીમાં આ આંકડો 1.60 કરોડને પાર કરી ગયો છે. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપે આ દિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે આ દિવસે દેશભરમાં મેગા વેક્સીનેશનનો વિશેષ કાર્યક્રમ ચલાવવામાં આવશે.
 
દેશભરમાં આ મેગા વેક્સીનેશન માટે, ભાજપે 6 લાખથી વધુ વોલેટિયર્સની સેના તૈયાર કરી છે, જે લોકોને રસી અભિયાનમાં જોડાવવામાં મદદ કરી રહ્યા છે. આ સ્વયંસેવકો લોકોને રસીકરણની લાઈન સુધી પહોંચાડવામાં અને તેમને અનુકૂળ રીતે રસી અપાવવામાં મદદ કરી. શુક્રવારે, કર્ણાટક 26.92 લાખ લોકોને વેક્સીન આપીને કોવિડ-19 વેક્સીનેશનમાં ટોચ પર રહ્યુ. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી કે સુધાકરે રાત્રે 9 વાગ્યા સુધીના ડેટાના આધારે આ માહિતી આપી હતી.
 
મંત્રી કાર્યાલય દ્વારા રજુ કરાયેલા નિવેદન મુજબ બિહારમાં 26.6 લાખથી વધુ વેક્સીન આપવામાં આવ્યા હતા ત્યારબાદ કર્ણાટક. બીજી બાજુ, ઉત્તર પ્રદેશમાં 24.8 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા, મધ્યપ્રદેશમાં 23.7 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા અને ગુજરાતમાં 20.4 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં કોરોના વિરુદ્ધ 21 જૂનના રોજ  88.09 લાખ અને 27 ઓગસ્ટના રોજ 1.03 કરોડ વેક્સીનેશન થયુ હતુ. 

સંબંધિત સમાચાર

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments