Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો દાઉદ ભાજપમાં સામેલ થઈ જાય તો તેને પણ તેઓ મંત્રી બનાવી દેશે- ઉદ્ધવ ઠાકરે

Webdunia
રવિવાર, 15 મે 2022 (14:06 IST)
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એક સભામાં ભાજપ પર નિશાન તાક્યું હતું.
 
ઠાકરેએ કહ્યું હતું કે જો દાઉદ ઇબ્રાહીમ પણ ભાજપમાં સામેલ થઈ જાય તો તેને પણ ભાજપ મંત્રી બનાવી દેશે.
 
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "હવે તેઓ (ભાજપ) દાઉદ અને તેના સહયોગીઓનો પીછો કરી રહ્યા છે. જો તે ભાજપમાં સામેલ થઈ જાય તો તેને પણ મંત્રી બનાવી દેશે. તેને જણાવશે કે કેવી રીતે તેઓ યોગ્યતાની મૂર્તિ છે."
 
મુંબઈના બાંદ્રા-કુર્લા પરિસરમાં ભેગા થયેલા શિવસૈનિકોને સંબોધન કરતાં ઠાકરેએ હિન્દુત્વ, કાશ્મીર પંડિત સમેત ઘણા મુદ્દાઓ પર પોતાની વાત મૂકી હતી.
 
ઠાકરેનો આરોપ છે કે ભાજપ દેશને હિન્દુત્વના નામે ગુમરાહ કરી રહ્યો છે.
 
જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીર પંડિત રાહુલ ભટ્ટની હત્યા મામલે તેમણે કહ્યું કે "રાહુલ ભટ્ટની એક સરકારી કાર્યાલયમાં હત્યા કરી દેવાઈ. ચરમપંથી આવ્યા અને તેને મારી નાખ્યો. શું તમે ત્યાં જઈને હનુમાનચાલીસા વાંચશો?"

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments