Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 102 જળાશયો 70% અને 51 ડેમ 100% ભરાયાં, કુલ જળસંગ્રહ 67% પાર

Webdunia
મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (09:02 IST)
હવામાન ખાતાની આગાહી મુજબ, 21 અને 22મી સપ્ટેમ્બરે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે તથા કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 76% વરસાદ થયો છે. ગત વર્ષે 20 સપ્ટેમ્બર સુધી 130% વરસાદ થઇ ગયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે હજુ 54% ઓછો વરસાદ છે. હાલ સરદાર સરોવરમાં 54 ટકા સંગ્રહ છે. સારા વરસાદને કારણે 15 દિવસમાં જળાશયોના જળસંગ્રહમાં 15 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે મધ્ય ગુજરાતને બાદ કરતાં તમામ ઝોનમાં 100%થી વધારે વરસાદ થઇ ગયો હતો. રાજ્યમાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ છે. 6 તાલુકાઓમાં 10 ઇંચથી ઓછો વરસાદ છે. 100 તાલુકાઓમાં 10થી 20 ઇંચ વચ્ચે વરસાદ છે. 112 તાલુકાઓમાં 20થી 40 ઈંચ વરસાદ જ્યારે 33 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ છે. જળાશયોમાં હાલમાં 67 ટકા જળસંગ્રહ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણી સંગ્રહ ઓછો છે. રાજ્યના કુલ જળસંગ્રહ 25244 એમ.સી.એમ.માંથી 22398 એમ.સી.એમ. સંગ્રહ એટલે કે 88 ટકા સંગ્રહ 18 મુખ્ય જળાશયોમાં થાય છે. આ 18 મુખ્ય જળાશયોમાંથી માત્ર 11 જળાશયોમાં જ 50 ટકાથી વધારે પાણી છે. આ વર્ષે જૂન મહિનામાં 5 ઇંચ, જુલાઇમાં 7 ઇંચ જ્યારે ઑગસ્ટમાં માત્ર 2.5 ઇંચ સરેરાશ વરસાદ થયો છે. સપ્ટેમ્બર મહિનામાં 20 દિવસમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 102 જળાશયો 70%થી વધારે ભરેલા છે, 51 સંપૂર્ણ ભરેલા જ્યારે 36 જળાશયોમાં 25%થી ઓછું પાણી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments